SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ તો કેટલાક આત્મવિશુદ્ધિ પર આધાર રાખનારા છે. જેને કેવળ સ્વયંની સાધના જ કરવી છે, એને માટે માત્ર આત્મવિશુદ્ધિરૂપ ગુણો હોય તો પણ ચાલી શકે; પણ જેને સ્વયંની સાધના ઉપરાંત અન્ય આત્માઓની સાધનામાં સહાયક બનવાનું છે, જેણે અન્યને પણ આરાધનામાં જોડવાના છે, તેને માટે પુણ્યપ્રકૃતિના ગુણો પણ જોઈએ જ. સૌથી પહેલાં બાર ગુણોનો નામોલ્લેખ કરી તે પછી બાર ગુણોનું ક્રમશઃ વર્ણન જોઈએ. “ अहिगारी य गिहत्थो, 'सुहसयणो वित्तिमं 'जुओ कुलजो । ગચ્છુદ્દો વિવોિ, "માં તદ્દ ધમ્માની ય ।।।। गुरुपूआकरणरई, " सुस्सूसाइगुणसंगओ चेव । णायाऽहिगयविहाणस्स, धणियमा २ऽऽणापहाणो य ।।२।। - ૧ – સારાં (સાનુકૂળ) સ્વજનવાળો, ૨ – ધનવાન, ૩ – સન્માન્ય, ૪ - કુળવાન, ૫ - અશુદ્ર, ૬ – ધૃતિબળવાન, ૭ – મતિમાન, ૮ - ધર્મરાગી, ૯ – ગુરુપૂજા કરવાની રુચિવાળો, ૧૦ - શુશ્રુષા વગેરે ગુણવાળો, ૧૧ – પ્રસ્તુત વિષયનો જાણકાર, ૧૨ – આજ્ઞાને મુખ્ય બનાવનારો ગૃહસ્થ (વહીવટ માટે) અધિકારી છે-યોગ્ય છે. જેનામાં આ બા૨ ગુણો હોય તે ગૃહસ્થ ઉત્કૃષ્ટ કોટિનો અધિકારી છે. જેનામાં આ બાર પૈકી પાંચ ગુણો હોય તે નિમ્ન કક્ષાનો અધિકારી છે અને જેનામાં છથી અગિયા૨ ગુણો હોય તે મધ્યમ કક્ષાનો અધિકા૨ી છે. ધર્મક્ષેત્રનું સંચાલન કરવું એ પણ આત્મસાધનાનું જ એક અંગ છે, જેના દ્વારા સ્વ-પરનું આત્મહિત સાધી શકાય છે. ૫૬ ગુણવિકાસ વિના આત્મસાધના શક્ય નથી. ધર્મક્ષેત્રના સંચાલન માટે ગુણસાધના અનિવાર્ય બને છે. અહીં બતાવેલ એક એક ગુણ સાથે સર્વાંગીણ જીવનવિકાસની વાતને એમાં વણી લેવામાં આવી છે. जो सम्म जिणमग्गं पयासए निब्भए णिरासंसे । सो भव्वाण जाणं दीवसमो भवसमुद्दमि ।। જૈનસંઘના મોભીઓને માર્ગદર્શન Jain Education International For Private & Personal Use Only - महानिशीथ सूत्र www.jainelibrary.org
SR No.004832
Book TitleJain Sanghna Mobhione Margdarshan
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati, Society, & Devdravya
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy