SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ જેની પુણ્યપ્રકૃતિ ખીલેલી હોય એ વ્યક્તિ કોઈ વાત ટૂંકાણમાં કરે તો સાંભળનાર કહે કે, “જોયું ! એક પણ શબ્દ વધારાનો વાપરે છે ? કેવું જોખી જોખીને બોલે છે ?' એ જ વર્ણન જો એ વિસ્તારથી કરે તો કહે કે, “કેવી કરુણાબુદ્ધિ છે ! જરા પણ થાક્યા વિના વિગતવાર વાત કરે છે. કેવું જુદી જુદી રીતે વિસ્તાર કરીને સમજાવે છે !' એ જો પોતાની વાત મીઠાશથી કરે તો કહે “જોયું ! કેવી આવડત છે ! બધાનો પ્રેમ જીતી શકે છે અને કડવાશ-કડકાઈથી કોઈ વાત કરે તો કહે કે, “કેવી હિતબુદ્ધિ છે કે કોઈની પણ શેહ-શરમમાં આવ્યા વિના જે કાંઈ કહેવા જેવું છે તે બધું જ સ્પષ્ટ કહી દે છે ! એની સામે જેની પુણ્યપ્રકૃતિ ખીલેલી ન હોય એ કોઈ વાત ટૂંકાણમાં કરે તો કહે કે, “બોલતાંય આવડતું નથી. વીંટો વાળી દીધો. વસ્તુને સ્પષ્ટ કરવાની જરાય આવડત નથી.' વિસ્તારથી સમજાવે તો કહે, “બહુ લાંબું લાંબું બોલે છે ભાઈ ! કંટાળી જવાય છે. મીઠાશથી કરે તો કહે કે, “બધાને માખણ લગાડ્યું રાખે છે અને કડવાશ-કડકાઈથી બોલે તો કહે કે, “ભાષા-સમિતિનું ભાન જ નથી. વાતવાતમાં બોઈલર ફાટે છે. પરિણામે આજ્ઞાની વિડંબના થાય. માટે શ્રી જૈનશાસનના ધર્મોપદેશક ગીતાર્થ, યતનાવાન, ભવભીરુ અને મહાન – આ ચારે ય ગુણોથી યુક્ત હોવા જરૂરી છે. જેનામાં આ ચાર ગુણો ન હોય એવો સાધુ જો શ્રી જૈનશાસનનો ધર્મોપદેશક બનવા જાય તો તેના માટે પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજે લખ્યું છે કે, “વીનો તો વોલ્ટી વોકે, શું વળીને નિરપુટો' જે આ ચાર ગુણવાળા ન હોય તે તો બોલીને જિનાજ્ઞાને, જિનવચનને અને જૈનશાસનને બોળવાનું-ડુબાડવાનું કામ કરે છે. એવાં ગુણ વગરનાં ધર્મોપદેશકનાં ટોળાંને શું કરવાનાં ? શ્રી જૈનશાસનના ધર્મોપદેશકની યોગ્યતા-અધિકાર માટેની વાત તમારી સામે કરીને તમને ખ્યાલ આપવા માંગું છું કે, ધર્મોપદેશક માટે પણ જો આવું तित्थयरसमो सूरी जो सम्म जिणमयं पयासेइ । आणं अइक्कमंतो सो कापुरिसो न सप्पुरिसो ।। re ' ના ? * * - गच्छाचारपयन्ना પર જૈનસંઘના મોભીઓને માર્ગદર્શન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004832
Book TitleJain Sanghna Mobhione Margdarshan
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati, Society, & Devdravya
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy