SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ પાપની શ્રદ્ધા જ હોતી નથી. માટે આમ કરવાથી મને પાપબંધ થશે, મારે દુર્ગતિમાં જવું પડશે, મારું ભવભ્રમણ વધી જશે, આવી કોઈ વાત એમને અડતી જૂનથી. માટે ધર્મોપદેશક માટે ‘ભવભીરુ’ નામનો ત્રીજો ગુણ પણ અનિવાર્ય છે. અને એ પછી છેલ્લા ગુણનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, ‘મહંત.’ ૪ - મહંત=મહાન : જે ગીતાર્થ હોય, યતનાવાન હોય અને ભવભીરુ પણ હોય, તેને પણ તેટલામાત્રથી ધર્મોપદેશનો અધિકાર નથી મળતો. એ માટે હજુ એક ગુણ આવશ્યક બને છે અને તે છે, ‘મહાન.’ જો જિનવચન, જિનશાસન મહાન છે તો તેનો ઉપદેશ આપનાર પણ મહાન જહોવો જોઈએ. આ મહાનતા પણ બે જાતની જોઈએ. એક- જેમાં બદલાની કોઈ અપેક્ષા ન હોય, એકાંતે ૫ો૫કા૨નો જ ભાવ હોય. એ નિઃસ્વાર્થ ભાવરૂપ મહાનતા કે જે ક્ષયોપશમભાવની પેદાશ છે, તે જોઈએ અને બીજી - પુણ્યની પેદાશરૂપ મહાનતા છે, એ પણ જોઈએ. પુણ્યપ્રકૃતિઓ એવી ખીલેલી હોય કે એનું વચન અને એનો વ્યવહાર બન્નેય શ્રોતાજનો માટે આદેય બને, આદરપાત્ર બને. ધર્મોપદેશ આપનાર એવો નિઃસ્વાર્થ જોઈએ કે એને ધર્મોપદેશના બદલામાં કાંઈ પણ મેળવવાની ઈચ્છા જ ન હોય. ન ધર્મોપદેશના બદલામાં એને ન તો શ્રોતાવર્ગ ભેગો કરવાની ઈચ્છા હોય કે ન તો ભક્તવર્ગ ભેગો કરવાની ઈચ્છા હોય. ન તો એના બદલામાં માનસન્માન મેળવવાની ઈચ્છા હોય કે ન એને કાંઈક કરાવી લેવાની વૃત્તિ હોય. એની ભાવના તો એકમાત્ર જિનરાજનો માર્ગ શ્રોતાને સમજાવીને શ્રોતાવર્ગનું આત્મકલ્યાણ સાધવાની જ હોય. આવી ચિત્તવૃત્તિ મોહનીયકર્મના ક્ષયોપશમથી પ્રાપ્ત થાય છે. જેમ કર્મના ક્ષયોપશમથી પ્રગટેલ નિઃસ્વાર્થભાવે પરાર્થકરણની ભાવનારૂપ મહાનતા જરૂરી છે, તેમ સામાનું હિત કરવામાં સહાયક બને તેવી પુણ્યપ્રકૃતિથી પ્રગટેલ પ્રભાવસંપન્નતારૂપ મહાનતા પણ જરૂરી છે. सभी क्रियाएँ गुरु की साक्षी में की जाती है। गुरु की साक्षी बिना कोई क्रिया नहीं हो सकती । यदि सूर्य न हो तो आँखों वाला आदमी भी पदार्थ को देख नहीं पाता । - शत्रुंजय माहात्म्य Jain Education International પ્રવચન-૨ : સંધસંચાલકનો ગુણવૈભવ અને કર્તવ્ય For Private & Personal Use Only ૫૧ www.jainelibrary.org
SR No.004832
Book TitleJain Sanghna Mobhione Margdarshan
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati, Society, & Devdravya
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy