SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ બહુ જ પ્રામાણિકતાપૂર્વક એ વાત કહેવી જરૂરી બની છે કે, શ્રમણ સંઘમાં રહેલી વ્યક્તિઓ પણ ક્યાંક ભૂલી પડી છે. તેઓ ક્યાંક કોઈને કોઈ પ્રોજેક્ટ લઈને બેસી ગયા છે. એનું આ પરિણામ છે. અહીં આ સુધર્માસ્વામીજીની પાટે હાલ તમારું ઘડતર કરવા બેઠો છું, માટે તમારી ભૂલ બતાવું છું. પણ અમારી ભૂલ હોય તો તમે પણ જરૂર બતાવી શકો છો અને અમારે એનો સ્વીકાર અને સુધાર કરવો જ જોઈએ. બંને એકબીજાની ભૂલ બતાવી શકીએ પણ બંનેની રીતમાં ફરક છે. બાપ દીકરાની ભૂલ કાઢે તે કાનબૂટી પકડીને, જ્યારે દીકરાને બાપની ભૂલ કહેવાની હોય તો બાપના પગ પકડીને. આવો વિવેક પરસ્પર જળવાશે તો પરસ્પરને ઘણો મોટો ફાયદો થશે અને સંઘ-શાસનને આપણા દ્વારા થતું નુકસાન અટકશે. સંબોધપ્રકરણમાં પૂ. આ. શ્રી હરિભદ્રસૂરિ મહારાજ કહે છે કે, સાધુને જો મૂર્તિ-મંદિર બનાવવાનો, પ્રતિષ્ઠા-ઉત્સવ કરવાનો મનોરથ જાગે તો કહ્યું કે, “વહેલી તકે તું આ ઓઘો બાજુમાં મૂકી દે. આ બધાં કામો તમારે (સાધુએ) કરવાનાં નથી, એ કાર્યો શ્રાવકનાં છે. સંસારમાં, આસક્તિમાં, પાપમાં ડૂબેલાને તરવા માટેનાં તે આલંબનો છે, તે કામ સાધુનાં નથી.” સભા : પ્રેરણા પણ નહીં કરવાની ? જી ના, પ્રેરણા પણ અમારે કરવાની નથી. અમે તમને તમારાં પાવકજીવનનાં કર્તવ્યો બતાવીએ. શ્રાવકનાં દિવસનાં કર્તવ્યો આ આ છે, અત્રિનાં કર્તવ્યો આ આ છે, પર્વનાં કર્તવ્યો આ આ છે, વાર્ષિક કર્તવ્યો આ આ છે, જીવનનાં કર્તવ્યો આ આ છે, એમ શ્રાદ્ધવિધિ આદિ ધર્મગ્રંથોના આધારે મજાવીએ. એમાં જીવનનાં કર્તવ્યોરૂપે જિનબિંબ-નિર્માણ, જિનમંદિરનિર્માણ, પ્રતિષ્ઠા, ઉત્સવ આદિ અંગે સમજાવીએ. એમાં તમે પૂછો કે, શાસ્ત્રમાં આ અંગેની શી વિધિ આવે છે ?તો કહીએ કે, આ શાસ્ત્રમાં આ અંગે આ વિધિ બતાવી છે. શક્તિ અનુસાર આ કર્તવ્યો કરવાથી કેવા કેવા લાભો થાય, શક્તિ १-विधिको प्ररूपणा, २-विधिका प्रेम, ३-विधि के ईच्छुकों के आगेविधिमार्ग की स्थापना एवं ४ - अविधि का निषेध यह हमारी प्रवचन(शासन) भक्ति प्रसिद्ध है। - अध्यात्मसार કામ મ મ મ મ મકર પ્રવચન-૧: પ્રભુનો ઉપકાર અને શ્રીસંઘનું કર્તવ્ય ૩૭ Jain Education International For Private & Personal Use Only ! www.jainelibrary.org
SR No.004832
Book TitleJain Sanghna Mobhione Margdarshan
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati, Society, & Devdravya
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy