SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ છતાં ન કરવાથી કેવાં કેવાં નુકસાન થાય, આ કર્તવ્યો વિધિ મુજબ, જિનાજ્ઞા મુજબ કરવાથી કેવું હિત થાય; વિધિની ઉપેક્ષા કરીને, જિનાજ્ઞાને બાજુમાં મૂકીને કરવાથી કેવું અહિત થાય; જેણે જેણે આ કર્તવ્યો વિધિ મુજબ, જિનાજ્ઞા મુજબ કર્યા, એને કેવો કેવો લાભ થયો; તે મુજબ ન કર્યા તેને કેવું કેવું નુકસાન થયું; તમારે પણ આ કાર્યમાં પ્રમાદ કે ઉપેક્ષા કરવા જેવી નથી, આત્મહિતના આવા અવસરો ઉચિત રીતે વધાવી લેવા જોઈએ : આવો બધો જ ઉપદેશ આપી શકીએ, પણ એ બધાં કાર્યો અમે ન કરીએ; અને એ કરવાનો તમને આદેશ, આજ્ઞા કે દબાણ પણ ન જ કરી શકીએ. એક વાત તમે સ્પષ્ટ સમજી લો. સામાયિક તો નિરારંભ અનુષ્ઠાન છે ને ? સભા : હા. એ સામાયિક જેવું અનુષ્ઠાન પણ તમે કરો, એમ અમારાથી ન કહેવાય. પણ સામાયિક કરવા જેવું છે, એમ અમારાથી જરૂર કહેવાય. સામાયિક પારતાં તમે બે આદેશ માગો છો ને ? પહેલાં તમે માગો છો કે, “હે ભગવંત ! હું સામાયિક પારું ?' ત્યારે અમે કહીએ કે, “પુણો વિ કાયવ્વી ફરીથી કરવા જેવું છે. પણ તમારી ભાવનાશક્તિ-સંયોગ ન હોય તો તમે જવાબ આપો કે, “યથાશક્તિ.” તે પછી બીજો આદેશ માંગો છો : “ભગવંત ! મેં તો સામાયિક પાર્યું. ત્યારે અમે કહીએ કે, આયારો ન મોરવ્યો’ આચાર છોડવા જેવો નથી. ત્યારે તમે એ વાતનો સ્વીકાર કરી કબૂલાતમાં ‘તહત્તિ'= તેમ જ છે એમ કહો છો. એથી પણ નિશ્ચિત થાય કે સામાયિક જેવી આરંભરહિત પ્રવૃત્તિ કરવાનો પણ અમે આદેશ ન કરી શકીએ, તો દેરાસર કે જેમાં આરંભનો અંશ રહેલો છે, તેનો અમે કઈ રીતે આદેશ કરી શકીએ ? સામાયિક કરવામાં શો લાભ ? નહિ કરવામાં શું નુકસાન ? કોણે કોણે સામાયિક કર્યા ? કેવો લાભ મળ્યો ? એ બધી વાત કરી શકીએ. પણ ‘તું કર” आसन्नसिद्धिआणं विहिपरिणामो उ होइ सयाकालं । विहिच्चाओ अविहिभत्ती अभव्वजिअदूरभव्वाणं ।। - - ૩૫૫૬ S ૩૮ જૈનસંઘના મોભીઓને માર્ગદર્શન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004832
Book TitleJain Sanghna Mobhione Margdarshan
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati, Society, & Devdravya
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy