SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ જેનશાસનના જીવ-વિજ્ઞાનનું પણ જ્ઞાન નથી અને એ જીવોને અભયદાન શી રીતે આપવું, એમને સ્વજીવનની કઈ કઈ અને કેવી કેવી પ્રવૃત્તિઓથી ભય-દુઃખ થાય છે અને એનાથી બચવા શું કરવું? એનું પણ ભાન નથી. એને ગુરુ સાથે કેવો વ્યવહાર કરવો, કેવો ન કરવો, એનો પણ ખ્યાલ નથી. એને સમભાવની સાધનાના મહત્ત્વનો કે નિષ્પાપ જીવનશૈલીનો પણ ખ્યાલ નથી. એથી જ સામાયિક જેવા સાધના જીવનનો પણ એને પરિચય નથી. એને જૈનશાસનના કર્મસિદ્ધાંતનો પણ ખ્યાલ નથી અને પુણ્ય-પાપના વિપાકોનો પણ ખ્યાલ નથી. એને નવતત્ત્વનું પણ ભાન નથી અને જૈનશાસનનાં ભૂગોળ, ખગોળ, ઈતિહાસ કે વિશ્વવ્યવસ્થાનું પણ જ્ઞાન નથી. એને જૈનશાસનના સમ્યગુઆચારનું પણ જ્ઞાન નથી અને સાતક્ષેત્રનું સ્વરૂપ કે એની ભક્તિના પ્રકારો કે એની દ્રવ્ય વ્યવસ્થાનો પણ ખ્યાલ નથી. પાંચ પ્રતિક્રમણ, જીવવિચાર અને નવતત્ત્વનો અભ્યાસ કરવાથી આ બધાનો પ્રાથમિક બોધ મળી શકે છે. પછી એ પોતાની કક્ષા મુજબ વિશેષ બોધ મેળવવા સજ્જ બને તો સમગ્ર જૈનશાસન-સંઘની કાયાપલટ સહેલાઈથી થઈ શકે. આજે જૈનસંઘના આગેવાનોને શ્રી જૈનશાસનનું આ પ્રાથમિક જ્ઞાન ન હોવાના કારણે ઘણી મોટી વિડંબણા સર્જાઈ છે. શ્રીસંઘ પારાવાર આપત્તિમાં મુકાઈ ગયો છે. આજે તમારી આગળ ધર્મોપદેશકે વ્યાખ્યાન કરવું હોય તો એક એક પરિભાષાના શબ્દો ટાળવા પડે. ઘણી બધી પ્રારંભિક ભૂમિકાઓ, વ્યાખ્યાઓ બાંધીને બોલવું પડે. પણ જો એકવાર તમે આ પ્રાથમિક બોધ મેળવી લીધો હોય તો પછી સીધી તત્ત્વજ્ઞાનની જ વાત અમે કરી શકીએ. તમે પણ સૂત્ર-અર્થનો અભ્યાસ થયા બાદ બોલી શકો કે, “છત્તીસ ગુણો ગુરુ મઝ=મારા ગુરુદેવ છત્રીસ ગુણવાળા છે અગર તો છત્રીસ ગુણવાળા હોય એ જ મારા ગુરુ છે. ગૌરવભેર જગતને તમે કહી શકો કે, પણ મનના કાકા મને મારા બાપા કરી હતી. કારોબારડ, મા ના જ .tns E નું 1 જ જ છે કે તેના પતિ વિર રાજા ” છે . जिनाज्ञा की जो जितनी आराधना करता है, वह उतना सुख पाता है एवं जिनाज्ञा की जो जितनी विराधना करता है, वह उतना दुःख पाता है । - વોર પ્રવચન-૧: પ્રભુનો ઉપકાર અને શ્રીસંઘનું કર્તવ્ય ૨૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004832
Book TitleJain Sanghna Mobhione Margdarshan
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati, Society, & Devdravya
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy