SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ ત્યાંની શેરીઓમાં ૨મતા ચાંગદેવને જોતાં જ એમને થયું કે આ બાળક શ્રી જૈનશાસનની મહાન પ્રભાવના કરી શકે તેવો છે, એટલે તેઓશ્રી ચાંગદેવની માતા પાહિનીને મળ્યા અને કહ્યું કે, ‘જો તું તારું આ બાળક મને સોંપી દે તો હું એને દીક્ષા આપું. દીક્ષિત થઈને એ ભવિષ્યમાં પ્રભુના શાસનની મહાન પ્રભાવના કરી શકશે.’ ચાંગદેવની મા પાહિની અત્યંત સરળ અને શ્રદ્ધાળુ હતી. તે પ્રભુશાસન પ્રત્યે સમર્પણભાવને વરેલી હતી. ગુરુદેવનાં આવાં વચનો સાંભળતાં જ એની રોમરાજી વિકસિત થઈ. એના આત્માને કાંઈક અલૌકિક ભાવોની અનુભૂતિ થઈ. કાળજાની કોર જેવા પોતાના દીકરાને ગુરુચરણે સમર્પિત કરવા એ સજ્જ બની. ગુરુદેવને ઉદ્દેશીને એણે વિનમ્રપણે કહ્યું : ‘ગુરુદેવ ! આપને મારા બાળકમાં એવી યોગ્યતા જણાતી હોય તો હું એને આપનાં કરકમળમાં સમર્પિત કરતાં ધન્યતા અનુભવું છું. પણ ગુરુદેવ ! એના પિતા જિનમતના અનુયાયી નથી. એ આજે બહારગામ ગયા છે. તેઓને આ વાત સ્વીકાર્ય નહીં બને. આપ જો બાળકનું કલ્યાણ ક૨વા ઈચ્છતા હો તો આપ એને કોઈ એવા સુયોગ્ય સ્થાને લઈ જાઓ, જ્યાં એની સુરક્ષા થઈ શકે.’ ગુરુદેવના એક વચન ઉપર કાળજાની કોર જેવા એકના એક પોતાના દીકરાને સોંપવાની તૈયારી - એ દેવ, ગુરુ, ધર્મ પ્રત્યેનો કેવો સમર્પણભાવ હોય તો સંભવી શકે ! અહીં પાહિનીને એ વિચાર ન આવ્યો કે, જો છોકરો આટલો લક્ષણવંતો હોય તો એ મને કેટલો કામ લાગશે ? એના પિતાને પૂછ્યા વગર એકાએક આમ કેમ સોંપી દેવાય ? પોતે ના ન પાડી શકે તો એના પિતાના નામે પણ ના પાડવાની શક્યતા હતી. એ પણ ન કરવું હોય તો એના પિતા આવીને પાછો ન લઈ આવે એવી તો કોઈ ભૂમિકા સર્જવાની જરૂર જ ન હતી. આમ છતાં પાહિનીએ એ પણ કર્યું. ૧૬ शास्त्र चिन्तामणिः श्रेष्ठः शास्त्रं कल्पद्रुमः परम् । ચક્ષુઃ सर्वत्रगं शास्त्रं, शास्त्रं धर्मस्य साधनम् ।। . योगशतक टीका જૈનસંઘના મોભીઓને માર્ગદર્શન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004832
Book TitleJain Sanghna Mobhione Margdarshan
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati, Society, & Devdravya
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy