SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રુતજ્ઞાની સાધુ ગોચરીએ જાય. શ્રુતનો ઉપયોગ મૂકી ૪૨ દોષથી રહિત, નિર્દોષ ગોચરી લઈ આવે. કેવળજ્ઞાનીને કેવળજ્ઞાનથી એમાં દોષ દેખાય તો પણ કશું બોલ્યા વિના તેઓ ગોચરી વાપરી જાય. બીજી તરફ શ્રુતજ્ઞાની શ્રુતજ્ઞાનનો ઉપયોગ કરતાં દોષિત જણાયેલી ગોચરી લાવ્યા હોય પણ કેવળજ્ઞાનીને કેવળજ્ઞાનથી એ ગોચરી નિર્દોષ જણાઈ હોય તો પણ તેઓ એ ગોચરી ન વાપરે. આ છે શ્રુતજ્ઞાનની મહત્તા અને અનિવાર્યતા. આજે ઘણાને મુંઝવણ થતી હોય છે કે આજે કેવળજ્ઞાન નથી તો આરાધના કરવી કઈ રીતે ? ભગવંત કહે છે કે આજે કેવળજ્ઞાન નથી કે કોઈ કેવળજ્ઞાની નથી, એમ માની હતાશ થવાની જરૂર નથી. જ્યાં સુધી શ્રુતજ્ઞાન છે, શ્રુતજ્ઞાની છે; ત્યાં સુધી તમારે માટે આરાધનાનાં દ્વાર ખુલ્લાં જ છે. માટે કેવળજ્ઞાન કે કેવળજ્ઞાની નથી, એમ માનીને તમારે મુંઝાવાની કોઈ જ જરૂર નથી. તમે શ્રુતજ્ઞાનીના શરણે પહોંચી જાઓ, તમારી આરાધના સાચી થશે. એક અપેક્ષાએ વિચારીએ તો જિનઆગમ (શ્રુત) એ સાતક્ષેત્રમાં કેન્દ્રસ્થાને છે. જિનબિંબ અને જિનમંદિરક્ષેત્રને ઓળખાવનાર અને એની ભક્તિના પ્રકાર અને પ્રભાવને બતાવનાર જિનઆગમ (શ્રુત) છે તથા સાધુ-સાધ્વી, શ્રાવકશ્રાવિકા ક્ષેત્રને ઓળખાવી એની ભક્તિના પ્રકાર-પ્રભાવને બતાવનાર પણ જિનાગમ જ છે. જિનાગમના આધારે જ મૂર્તિ-મંદિરનું નિર્માણ થાય છે અને જિનાગમને આધાર બનાવીને જસાધુ,સાધ્વી, શ્રાવક, શ્રાવિકા જીવી શકેછે.શ્રી જિનાગમના આધાર વિના સાધુ, સાધ્વી, શ્રાવક કે શ્રાવિકામાં સંઘપણું પ્રગટતું નથી. આવા અનેક દૃષ્ટિકોણથી વિચારશો તો તમને પણ સમજાશે કે, શ્રુતના આધાર વિના આ શાસનનું કોઈ અંગ સંભવી ન શકે, ધબકી ન શકે. શ્રુતની, શ્રુતજ્ઞાનીની ઉપેક્ષા કે અનાદર એ સમગ્ર શાસનની ઉપેક્ષા કે અનાદરરૂપ બને છે. ન એ વાતમાં આગળ વધતાં પૂર્વે વચ્ચે એ વિચારણા કરવી જરૂરી છે કે, अन्य स्थान में किया पाप तीर्थक्षेत्र में नष्ट होता है, जबकि तीर्थक्षेत्र में किया पाप वज्रलेप-सा निश्चित फलदायी बन ખાતા હૈ । Jain Education International પ્રવચન-૧ : પ્રભુનો ઉપકાર અને શ્રીસંઘનું કર્તવ્ય For Private & Personal Use Only ૧૩ www.jainelibrary.org
SR No.004832
Book TitleJain Sanghna Mobhione Margdarshan
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati, Society, & Devdravya
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy