SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ તીર્થંકર પરમાત્મા સ્વયં વિદ્યમાન હોવા છતાં શ્રમણ થનાર આત્માઓ જ્યાં સુધી ન મળે ત્યાં સુધી શાસન સ્થપાય નહિ . તીર્થંકર ભગવંતો કાયમ રહેતા નથી. આયુષ્યકર્મ પૂરું થતાં એઓ મોક્ષમાં ચાલ્યા જાય છે; ત્યાર પછી આ શાસન શ્રમણપુંગવોથી જ ચાલે છે અને જ્યાં સુધી શ્રમણસંઘ વિદ્યમાન હોય ત્યાં સુધી જ ચાલે છે. માટે જ કહ્યું છે કે, ‘સમપ્નપ્પાનો સંયો’ - ‘સંઘ એ શ્રમણપ્રધાન છે.’ ચારે પ્રકારના સંઘમાં શ્રમણસંઘ મુખ્ય છે અને શ્રમણોમાં આચાર્ય મુખ્ય. માટે કહ્યું કે, ‘સાવરિયો સંઘો’ - ‘સંઘ એ આચાર્ય સહિતનો હોય.’ આ આચાર્ય ભગવંતો કે શ્રમણ ભગવંતોને માથે પણ જિનાજ્ઞા અને જિનાજ્ઞાને દર્શાવનાર શાસ્ત્રો હોય છે અને એના આધારે જ આચાર્યાદિ શ્રમણ ભગવંતો સ્વયં પ્રવર્તે છે અને આશ્રિતોને પ્રવર્તાવે છે. માટે જ કહ્યું કે, ‘ગામવવધૂ સાહૂ ।' ‘સાધુ આગમરૂપી આંખવાળા હોય છે.' થો આગાર્ પડિવનો ।'‘ધર્મ આજ્ઞા સાથે બંધાયેલો છે.' આ મર્યાદા અમારા, તમારા, સૌના ખ્યાલમાં બરાબર રહેવી જોઈએ. બીજી વાત એ છે કે તીર્થંકર ભગવંતને કેવળજ્ઞાન થયા બાદ પણ જ્યાં સુધી દ્વાદશાંગીની રચના ન થાય ત્યાં સુધી શાસન-સંઘની સ્થાપના ન થાય. આ જોતાં શ્રુતજ્ઞાનનું મહત્ત્વ કેટલું છે, એનો ખ્યાલ આવી શકશે. એક અપેક્ષાએ વિચારીએ તો પાંચે જ્ઞાનમાં ઊંચામાં ઊંચું જ્ઞાન કેવળજ્ઞાન છે, જ્યારે બીજી અપેક્ષાએ વિચારીએ તો પાંચે જ્ઞાનમાં ઊંચામાં ઊંચુ જ્ઞાન શ્રુતજ્ઞાન છે; કારણ કે, શ્રુત વિના શાસન સ્થપાય નહિ, શ્રુત વિના શાસન ચાલે નહિ અને શ્રુત વિના શાસન ટકે પણ નહીં. જે દિવસે શ્રુતનો નાશ તે દિવસે શાસનનો પણ નાશ. આજે આપણે બધા જે ઊજળા છીએ તે શ્રુતની બલિહારી છે. કેવળજ્ઞાની સ્વયં કેવળજ્ઞાની છે, આમ છતાં કેવળજ્ઞાનીએ પણ ઉપકાર કરવો હોય, વ્યવહાર ચલાવવો હોય તો તેઓ કેવળજ્ઞાનને આગળ ન કરે, પણ શ્રુતજ્ઞાનને જ આગળ કરે. ૧૨ अन्य क्षेत्रे कृतं पापं, तीर्थक्षेत्रे विनश्यति । तीर्थक्षेत्रे कृतं पापं, वज्रलेपो भविष्यति ।। જૈનસંઘના મોભીઓને માર્ગદર્શન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004832
Book TitleJain Sanghna Mobhione Margdarshan
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati, Society, & Devdravya
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy