SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ ચતુર્વિધ શ્રીસંઘમાં શ્રમણ-શ્રમણીને પ્રથમ સ્થાન આપવામાં આવ્યું અને શ્રાવક-શ્રાવિકાને એમની આધીનતામાં રહેવાનું બતાવ્યું. શ્રમણ-શ્રમણીસંઘમાં પણ આચાર્યોને સર્વાધિકાર આપીને ચારેય પ્રકારના સંઘને આચાર્યની આજ્ઞામાં રહેવા જણાવ્યું. આ વ્યવસ્થા દ્વારા સમગ્ર શાસન પ્રત્યે ચારેય પ્રકારના શ્રીસંઘને જવાબદાર ઠરાવીને શ્રીસંઘને તીર્થકરતુલ્ય મહત્ત્વ આપ્યું. આના ઉપરથી દ્વાદશાંગી અને એને સમર્પિત ચતુર્વિધ શ્રીસંઘનું શું મહત્ત્વ છે અને એમની શું જવાબદારી છે, તે સ્પષ્ટ રીતે સમજાય તેવું છે. ભગવાન શ્રી મહાવીરદેવે પ્રમાણેલી આ દ્વાદશાંગીના સહારે તે પછીના ૨૧૦૦૦ વર્ષ સુધી પ્રભુનું શાસન ચાલવાનું છે, જેના યોગે આ શાસનના શરણે આવનારનું હિત સધાવાનું છે અને જેના સહારે સાધકો શાશ્વતકાલીન દુઃખમુક્તિ અને સુખપ્રાપ્તિના ધ્યેયને સિદ્ધ કરવાના છે, જેના સહારે સાચા સાધકો વિભાવદશાથી છૂટી સ્વભાવદશાને, પામર સ્વરૂપ છોડીને પરમાત્મ સ્વરૂપને વરવાના છે; જેના સહારે સાચા ધર્મોપદેશકો દુઃખમુક્તિ અને સુખપ્રાપ્તિને ઝંખતા જીવોને સાચો રાહ બતાવી પથદર્શક બનવાના છે, જેની સાથે જગતના જીવમાત્રના સુખ-દુઃખનો સંબંધ જોડાવાનો છે, જેના સહારે ધર્મ ટકવાનો છે અને જેના સહારે ટકેલા ધર્મના આધારે સૂર્ય-ચંદ્ર યથાસમયે ઉદયઅસ્ત પામવાના છે, સમંદર મર્યાદાબદ્ધ રહેવાનો છે, ઋતુઓ સમયસર પ્રગટવાની છે અને ધરતી વિશ્વને ધારણ કરવાની છે, ચોદે ચૌદ રાજલોકમાં સુખ-શાંતિ અને કુદરતના તમામ નિયમો પ્રવર્તવાના છે. કલિકાલસર્વજ્ઞ આચાર્ય શ્રી હેમચન્દ્રસૂરિ મહારાજે યોગશાસ્ત્રમાં લખ્યું છે કે, “સૂર્ય-ચંદ્ર સમયસર ઊગે છે અને આથમે છે, પૃથ્વી સ્થિર રહે છે અને જગતને ધારે છે, દરિયો મર્યાદા મૂકતો નથી અને ઋતુઓ સમયસર પ્રવર્તે છે, આ બધો પ્રભાવ ધર્મનો છે.' આ ધર્મ પ્રભુની આજ્ઞામાં રહેલો છે અને પ્રભુની એ આજ્ઞા દ્વાદશાંગીમાં સમાયેલી છે. આ આખી પરસ્પર સંકલિત વાતને ઊંડાણથી સમજો जो जिणसंघं हीलइ, संघावयस्स दुक्कयं दटुं । सव्वजणहीलणिज्जो, भवे भवे होइ सो जीवो ।। તારા આ પાવન મહમદ Visit in f કેમ જ કાન તો જો મા છે. કાંકરેજ, પાન | ૧૦ જૈનસંઘના મોભીઓને માર્ગદર્શન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004832
Book TitleJain Sanghna Mobhione Margdarshan
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati, Society, & Devdravya
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy