SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ ક્ષમતા તેવો તેનો પ્રકાશ. ગણધર ભગવંતોની પ્રજ્ઞા વિશિષ્ટ હોય છે. તેઓ બીજબુદ્ધિના ધણી હોય છે, તેથી તેમને આટલો વિશિષ્ટ બોધ થાય છે કે જેના સહારે તેઓ માત્ર ૪૮ મિનિટ કરતાંય ઓછા સમયમાં દ્વાદશાંગીની રચના કરી શક્યા. શ્રી ગૌતમાદિ અગિયારેય ગણધરોએ દ્વાદશાંગીની રચના કરી, પરમાત્માશ્રી મહાવીરદેવે પોતાના નિર્મળ જ્ઞાનથી એને જોઈ. એ સર્વથા નિર્દોષ હતી, સર્વાશે સંપૂર્ણ હતી, જગતના જીવમાત્રનું હિત કરવા માટે એ સક્ષમ હતી, જગતના જીવોને દુઃખમુક્ત કરી સુખસમૃદ્ધ કરવાનું એનામાં સામર્થ્ય હતું. તેથી પ્રભુએ એને પ્રમાણી. આ માટે જ પ્રભુ જ્યારે ઊભા થયા ત્યારે અગિયારેય ગણધરો પ્રભુ સન્મુખ નતમસ્તકે ઊભા રહ્યા. વાસચૂર્ણ ભરેલ વજરત્નનો થાળ લઈ ઈન્દ્ર પ્રભુની નજીક આવ્યા. પ્રભુએ એમાંથી વાસચૂર્ણ લીધું. અગિયારેય ગણધરોના મસ્તક ઉપર વાતચૂર્ણનો લેપ કરી પ્રભુએ એમની રચેલ દ્વાદશાંગીને પ્રમાણી તીર્થસ્થાપના કરી, તેમને તીર્થની અનુજ્ઞા આપી. ‘તમારી બનાવેલી દ્વાદશાંગી પ્રમાણભૂત છે અને તેને જગતમાં પ્રચારવાની, સુયોગ્ય જીવો સુધી પહોંચાડવાની તમને હું સંમતિ આપું છું” આ તેનો પરમાર્થ હતો. એ અગિયાર પૈકીના પાંચમા ગણધર શ્રી સુધર્માસ્વામીજીને પ્રભુએ એક વિશેષ અધિકાર આપ્યો. આ દ્વાદશાંગીને પોતાના જીવનમાં જીવનાર શ્રમણશ્રમણીસંઘનું યોગક્ષેમ કરવાની જવાબદારી શ્રીસુધર્માસ્વામીને આપી, જેને ગણાનુજ્ઞા કહેવાય છે. સંસારત્યાગ કરીને સર્વાશે દ્વાદશાંગીને સમર્પિત જીવન જીવવાની જેમની તૈયારી હતી, તેમનો પ્રભુએ સાધુ-સાધ્વીસંઘમાં સમાવેશ કર્યો. જેમનામાં એવી શક્તિ ન હતી, આમ છતાં દ્વાદશાંગી પ્રત્યે જેને અત્યંત આદર-અહોભાવ, શ્રદ્ધા-સમર્પણભાવ હતો, તેમનો શ્રાવક-શ્રાવિકાસંઘમાં સમાવેશ કરી, પ્રભુએ ચતુર્વિધ શ્રીસંઘની સ્થાપના કરી. LAS : तीर्थकरोद्वारा१- श्रुत, २- संघ, ३ - तीर्थ आदि सभी चीजों का प्रवर्तन हआ है, अतः उनकी प्रतिमा करने से निर्माता ने सब कुछ सुकृत कर लिया है। - हितोपदेशमाला પ્રવચન-૧ : પ્રભુનો ઉપકાર અને શ્રીસંઘનું કર્તવ્ય ૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004832
Book TitleJain Sanghna Mobhione Margdarshan
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati, Society, & Devdravya
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy