SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ નંદન ઋષિના એ પચ્ચીસમા ભવમાં એક લાખ વર્ષના સાધનાકાળમાં તેઓશ્રીએ સમ્યજ્ઞાનના સહારે વિશ્વસ્થિતિનું અવલોકન કર્યું, જગતના જીવમાત્રની અવદશાનો અવબોધ કર્યો. દુઃખમુક્તિ અને સુખપ્રાપ્તિ માટે તરફડતા જીવોની દિશાહીન નિરર્થક દોડ જોઈ, સમ્યગ્દર્શનના યોગે પ્રગટેલ આસ્તિક્ય અને અનુકંપાના પ્રભાવે એ તારકનો આત્મા કંપી ઊઠ્યો. જીવમાત્રની વ્યથા-વિડંબનાને પોતાની વ્યથાવિડંબણાની જેમ જ અનુભવી, અંતઃકરણમાં કરુણાનો ધોધ વહેતો થયો અને ઉત્તરોત્તર તીવ્ર બનતો ગયો. મનમાં, આત્માના એકે એક પ્રદેશમાં એક જ ભાવ સબળપણે સક્રિય બન્યો કે જગતના જીવમાત્રને દુઃખમુક્તિ અને સુખપ્રાપ્તિનો માર્ગ બતાવીને એ માર્ગે ચડાવી દઉં. એ સમયની એમની એ કરુણા સર્વવ્યાપી હતી, કોઈ જીવ એમાંથી બાકાત ન હતો. એ જીવ સૂક્ષ્મ હોય કે બાદર, ત્રસ હોય કે સ્થાવર, એકેન્દ્રિય હોય કે પંચેન્દ્રિય, અબુધ હોય કે પ્રબુદ્ધ, રાય હોય કે રંક - બધાને તેમણે પોતાની કરુણાનું ભાજન બનાવ્યા હતા. તેઓશ્રીએ પોતાના નિર્મળ જ્ઞાનના પ્રકાશમાં જોયું કે જગતના જીવમાત્ર દુઃખથી બચવા અને સુખને પામવા તરફડિયાં મારે છે, આમ છતાં જીવ માત્રની અવદશા એવી છે કે “દુઃખ એમને છોડતું નથી અને સુખ એમને મળતું નથી.” દુઃખથી છૂટવાની આશામાં જીવ આગળ વધે છે, પણ દુઃખ એના લમણામાં આવીને ઝીંકાય છે; અને સુખ મળવાની આશા જ્યારે સબળ બને છે, ત્યારે જ એ સુખ એને હાથતાળી દઈને ભાગી જાય છે. ઝાંઝવાનાં જળની પાછળ દોડતા બાળ હરણના જેવી અવદશા જગતના જીવોની છે. જીવમાત્રની આ અવદશા જોઈને તેઓશ્રીના મનમાં એ પ્રશ્ન ઊઠ્યો કે જગતનો એકે એક જીવ સદા માટે દુઃખથી છૂટી શકે અને સદા કાળ માટે સુખને પામી શકે, એ માટે હું શું કરી શકું ? संघो महाणुभावो, अमरिंद-णरिंदवंदिओ एसो। तित्थयरेहि वि नियमा, पणमिज्जइ देसणारंभे ।। - ચેત્યવહન મfમાણે ૨ જૈનસંઘના મોભીઓને માર્ગદર્શન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004832
Book TitleJain Sanghna Mobhione Margdarshan
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati, Society, & Devdravya
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy