SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ પ્રભુનો ઉપકાર અને શ્રીસંઘનું કર્તવ્ય વિ. સં. ૨૦૫૯ - ચૈત્ર સુદ-પ્રથમ-૩, તા. ૪-૪-૨૦૦૩, શુક્રવાર. સવારે : ૯-૩૦, પાવાપુરી તીર્થધામ-રાજસ્થાન संघो महाणुभावो अमरिंद-नरिंद-वंदिओ एसो । तित्थयरेहि विणियमा पणमिज्जइ देसणारंभे ॥ | १ || “દેવેન્દ્ર અને નરેન્દ્રોથી વંદાયેલો આ સંઘ ‘મહાનુભાવ’ છે. દેશનાના પ્રારંભે તીર્થંકરો વડે પણ તે નક્કી પ્રણામ કરાય છે.” અનંત ઉપકારી ચરમ તીર્થપતિ શ્રમણ ભગવાન શ્રી મહાવીર પરમાત્મા નયસારના ભવમાં સમ્યગ્દર્શન પામ્યા. સાધનાજીવનના અનેક ચડાવઉતા૨માંથી પસાર થઈ પચ્ચીસમા ભવમાં નંદન રાજવી થયા. Jain Education International ૨૪ લાખ વર્ષ સંસારમાં પસાર કર્યા પછી એમણે સર્વસંગનો ત્યાગ કરી સર્વવિરતિનો સ્વીકાર કર્યો. એક લાખ વર્ષના સંયમપર્યાયમાં અગિયાર લાખ, એંસી હજાર, છસો પિસ્તાળીસ માસક્ષમણ દ્વારા વીશસ્થાનકની આરાધના કરી આત્માને અત્યંત ઉજ્વળ બનાવ્યો. એ દરમ્યાન અંતઃકરણમાં પ્રગટેલ કરુણાની ભાવધારા પરાકાષ્ઠાએ પહોંચતાં તીર્થંકરનામકર્મની નિકાચના કરી, જેથી તેઓ છેલ્લા ભવમાં ચોવીસમા તીર્થપતિ શ્રમણ ભગવાન મહાવીર બન્યા. પ્રવચન-૧ : પ્રભુનો ઉપકાર અને શ્રીસંઘનું કર્તવ્ય For Private & Personal Use Only ૧ www.jainelibrary.org
SR No.004832
Book TitleJain Sanghna Mobhione Margdarshan
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati, Society, & Devdravya
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy