SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ આપવાના પરિણામે ધર્મ વધે કે ઘટે ?આ ધર્મશાળા છે, આ કોઈ પાથશાળા કે મુસાફિરખાનું નથી કે એમાં A/c, ડબલ બેડ જેવી પાપકારી સુવિધા અપાય. એ આપવી હોય તો ધર્મશાળા નામ કાઢી નાંખવું પડે. ૯ - ગુરુપૂગારપર - ગુરુપૂજા કરવામાં રતિઃ ૧ - ગુરવ - પૂજ્ય કોવિક છોકોત્તરશા लौकिकाः पित्रादयो वयोवृद्धाश्च । लोकोत्तरास्तु धर्माचार्यादयः । तेषां पूजाकरणे यथोचितविनयाद्यर्चाविधौ रतिरासक्तिर्यस्य स तथा । गुरुपूजाकरणरतो वा । एवंविधो हि जनप्रियत्वेन ससहायतया समारब्धसाधनसमर्थो भवति । ગુરુજનપૂજકરણરતિ : એટલે માતા-પિતા વગેરે લૌકિક ગુરુ અને ધર્માચાર્ય વગેરે લોકોત્તર ગુરુની ઉચિત વિનયાદિરૂપ પૂજા કરવાના દિલવાળો. આવો જીવ લોકોના પ્રેમનું સંપાદન કરી શકે છે. આથી આરંભેલું કાર્ય લોકોના સહકારથી પૂરું કરી શકે છે. લોકોની સહાયથી રહિતનું કાર્ય અધૂરું રહે એ સુસંભવિત છે. ધર્મક્ષેત્રના વહીવટ માટે જરૂરી બાર ગુણો પૈકી “ગુરુપૂજા કરવામાં રતિ નામનો નવમો ગુણ છે. અહીં ગુરુ તરીકે માતા-પિતા વગેરે સાંસારિક વડીલો અને ધર્માચાર્ય વગેરે ધર્મગુરુઓ સમજવાના છે. આ બન્ને પ્રકારના ગુરુજનોની સેવા-પૂજા, ભક્તિ વગેરે કરવામાં સહજપણે આંતરિક રુચિ હોવી જોઈએ, અને જો એ રુચિ હોય તો જ જ્યારે જ્યારે એમની સેવા-ભક્તિ કરવાની તક મળે ત્યારે એને આનંદ આવે. આવી વ્યક્તિ જો વહીવટના ક્ષેત્રમાં હોય તો ધર્મગુરુઓની અને સંઘના વડીલોની સેવા-ભક્તિ, મર્યાદા વગેરેનું સમુચિત પાલન થઈ શકે. નાના-મોટાનો વિવેક સહજપણે જળવાઈ શકે. આ ગુણ કૃતજ્ઞતા, નમ્રતા અને ગુણગ્રાહિતાના સરવાળારૂપે પ્રગટતો હોય છે. अन्यायोपार्जितं द्रव्यं दश वर्षाणि तिष्ठति । प्राप्ते च षोडशे वर्षे, समूलं विनश्यति ।। પ .. ' , , , મારા ૯૬ જૈનસંઘના મોભીઓને માર્ગદર્શન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004832
Book TitleJain Sanghna Mobhione Margdarshan
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati, Society, & Devdravya
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy