SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ જો એ કરે, તો જ કહેવાય કે ધર્મનો રાગ છે. મારા પરમતારક ગુરુદેવ સાવ સાદા-સરળ શબ્દોમાં આ વાત કહેતા : - દેરાસર તારનારું છે, ઘર ડુબાડનારું છે. તમારા હૈયાનો લગાવ ક્યાં ? – ઉપાશ્રય તારનાર છે, પેઢી ડુબાડનારી છે. તમારા હૈયાનો લગાવ ક્યાં ? ધર્મસામગ્રી તારનારી છે, સંસારસામગ્રી ડુબાડનારી છે. તમારા હૈયાનો લગાવ ક્યાં ? ધર્મપ્રવૃત્તિ તારનારી છે, સંસારપ્રવૃત્તિ ડુબાડનારી છે. તમારા હૈયાનો લગાવ ક્યાં ? - - ધર્મજનો તારનારા છે, ઘર ડુબાડનારું છે. તમારા હૈયાનો લગાવ ક્યાં ? તમારા હૈયાનો લગાવ, ઢાળ ક્યાં છે એના આધારે તમને ધર્મનો રાગ છે કે નહિ તે નક્કી થાય. સભા : અઘરું છે. અઘરું જ છે. ધર્મક્ષેત્રનું સંચાલન એ કાંઈ નાના છોકરાના ખેલ નથી, એ માટે ઘણી ગુણરાશિ, પુણ્ય, આવડત વગેરે બધું જ જોઈએ. સભા ઃ ટ્રસ્ટની પેઢી પર ટ્રસ્ટી રાત્રે ખાય છે. (સભામાં હસાહસ) આ હસી કાઢવા જેવી વાત નથી. આજે ઘણાં સ્થાને આ ઘટના વાસ્તવિકતા બની ગઈ છે. દુઃખદ વાત છે આ. પારાવાર વેદના થાય છે આ સાંભળીને. તમે વાતે વાતે તમારા માટે ‘અમે સંઘ, અમે પચ્ચીસમા તીર્થંકર છીએ' : એમ બોલી પોતાની વાત મનાવવાનો - સાધુઓ ઉપર પણ દબાણ લાવવાનો પ્રયાસ કરો છો. અમને પણ ખબર છે કે સંઘ પચ્ચીસમો તીર્થંકર છે. આજે સવારે પહેલાં મંગલ શ્લોક પણ એનો જ હું બોલ્યો હતો. તીર્થંકર પણ એ સંઘને નમે. જે સંઘને તીર્થંકરો નમે તે સંઘની લાયકાત કેવી હોય અને એની જવાબદારી શું હોય એ ૯૪ जिनवर आणारहियं वड्डारंता वि के वि जिणदव्वं । बहुति भवसमुद्दे, मूढा मोहेण अन्नाणी ।। જૈનસંઘના મોભીઓને માર્ગદર્શન Jain Education International For Private & Personal Use Only द्रव्यसप्ततिका www.jainelibrary.org
SR No.004832
Book TitleJain Sanghna Mobhione Margdarshan
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati, Society, & Devdravya
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy