SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ આ ઉપરાંત અન્ય બળો પણ જો વહીવટદાર પાસે હોય તો તે શ્રીસંઘ, શાસનને વધારે લાભ કરી શકે છે. સભા : બીજાં કયાં બળ હોય તો વધારે લાભ થાય ? બળ અનેક પ્રકારનાં હોય છે. મનોબળ, વચનબળ, કાયબળ, બુદ્ધિબળ : શ્રીસંઘ અને શાસનના કાર્ય માટે દરેક પ્રકારના બળની જરૂર પડે છે. જે વ્યક્તિમાં આ બધાં જ બળ હોય તે શ્રીસંઘ અને શાસનની બહુ જ સારી સેવા કરી શકે. જેનામાં બધા જ પ્રકારનાં બળ ન હોય પણ કોઈ એક બે પ્રકારનું બળ હોય તો પણ તે તેટલા પ્રમાણમાં તો શ્રીસંઘ-શાસનની સુંદર સેવા કરી શકે. બળહીન માણસ કે જેની પાસે કોઈ પણ પ્રકારનું બળ ન હોય તે તો આ ક્ષેત્રમાં આવીને પણ ભારભૂત બને છે. સભા: મનોબળ અને બુદ્ધિબળમાં શું ફરક ? ગમે તે વિષયમાં ગમે તેટલો લાંબો સમય વિચારવાનું હોય તો પણ ન થાકે અને વિચારી શકે તે મનોબળને આભારી છે. જ્યારે અટપટા પ્રશ્નોમાં અટવાયા વગર એમાંથી પણ બરાબર રસ્તો કાઢી શકે એ બુદ્ધિબળને આભારી છે. શ્રીસંઘ-શાસનના કાર્યને પાર પાડવા કોઈને પણ સંમત કરવો હોય તો તે બુદ્ધિબળથી થઈ શકે છે. સભા સંઘ સંચાલન માટે ઈન્દ્રિયોનું બળ જોઈએ કે નહિ ? જરૂર જોઈએ. એનો સમાવેશ થાયબળમાં કર્યો છે. શ્રીસંઘ અને શાસનનાં કેટલાંક એવાં પણ કાર્યો હોય છે કે જેમાં આંખોનું તેજ બહુ જ જરૂર પડે, તો કેટલાંક એવાં પણ કામ હોય છે કે જેમાં શ્રવણશક્તિની બહુ જ જરૂર પડે. આ બધાનો સાર એ છે કે જેટલું બળ વધારે એટલી શ્રીસંઘ-શાસનની સેવા વધુ સારી રીતે થઈ શકે. ટૂંકમાં કહો તો મનબળ, વચનબળ, કાયબળ, બુદ્ધિબળ, ઈન્દ્રિયોનું બળ चेइयदव्वविणासे इसिघाए पवयणस्स उड्डाहे । संजइचउत्थभंगे, मूलग्गी बोहिलाभस्स ।। - संबोध प्रकरण ૮૨ જૈનસંઘના મોભીઓને માર્ગદર્શન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004832
Book TitleJain Sanghna Mobhione Margdarshan
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati, Society, & Devdravya
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy