SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૨ – આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૭ - ---- 170. એ વાત પણ ન થાય. એ તો ષકાયને પોતાના પુત્ર સમ ગણે. એકનો પણ ઘાત થાય તો એનો જીવ બળે. હું તો તમારી પાસે એ અમારા છયે પુત્રોની રક્ષા ઇચ્છું, એમાંના એક પણ પુત્રનો ઘાત કરવાની વાતમાં “હા' ન ભણે. પૃથ્વીકાય, અષ્કાય, તેઉકાય, વાઉકાય, વનસ્પતિકાય અને ત્રસકાય એ છયે કાયની રક્ષા અમે કરીએ. એમાંથી એક પણ મરે તે અમને ન ગમે. સભા: પણ એ છયે કાયના આરંભથી બનાવેલા આહાર પાણી અમારી પાસેથી લો તો ખરા ને ? તમે તમારા માટે બનાવેલી ચીજમાંથી, અમને આપવાથી તમે તરી શકો અને અમારી તરવાની કાર્યવાહી ચાલુ રહે એવી અને એટલી વસ્તુ લઈએ. કલ્પનીય, એષણીય અને પ્રાસુક વસ્તુઓ અમારાથી લેવાય. કલ્પનીય ? એટલે કહ્યું એવું, વિકારવર્ધક ન બને, સંયમમાં બાધક ન બને એવું. એષણાય એટલે બેંતાલીસ દોષ વિનાનું. પ્રાસુક : એટલે નિર્જીવ - અચિત્ત. હિંસાથી નિપજેલી ચીજથી તમે ગભરાયેલા તો હો જ, તરવા માટે મુનિને શોધતા હો, મુનિ તમારા અને પોતાના સંયમદેહના ઉપકાર માટે એ લે, પણ તમે ફરી બનાવશો એવું લાગે તો એવી રીતે ન લે. આ રીતે અમે લઈએ ખરા પણ અમારા રોટલા માટે તમે સંસારમાં રહો, એવું કદી ન કહીએ. આ “નગીનદાસ' આજે આવતા હોય તો આવવાની ના ન કહું, તરત સ્વીકારી લઉં. તમે પકાયની હિંસાથી બચો એવું અમે ઇચ્છીએ : સભા: પણ અહીં રહે તો વધારે કામ થાય ને? ત્યાં રહેવાથી વધારે કામ થતું હોત તો અમે એ મૂકીને ભીખ માગવા અહીં શું કામ આવત ? મોટો ચક્રવર્તી તેની આખી જીંદગીમાં જે કરે, આખી પૃથ્વીને જિનમંદિરોથી મંડિત કરે, ઢગલાબંધ દાન દે છતાં એને જે લાભ થાય તેના કરતાં વધુ લાભ થાવાળાને એક અંતર્મુહૂર્તમાં થાય. અમારા ભલા માટે, અમારા પેટ ભરવા માટે અમે તમને ત્યાં રહેવાનું કહીયે તો તો પછી તમે માલિક અને અમે તમારા નોકર થયા. તમે જીવોને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004831
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 07
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherSanmarg Prakashan
Publication Year2001
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy