SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ ૫ - ભાવ કરુણાની ભવ્યતા - ૧૨૧ શાસ્ત્રકાર કહે છે કે સંસારને ખરાબ માનનારા બધા દીક્ષા માટે યોગ્ય છે. અમારામાં સાચવવાની તાકાત નહિ માટે અમે વધારે ગુણોની યોગ્યતા તપાસીએ. નાનો ડાક્ટર પોતે જલદી ઓપરેશન ન કરે. નિષ્ણાતોનો અભિપ્રાય મેળવે, બીજા ડૉક્ટરોને સાથે રાખે, પછી કામ કરે. તેનો હેતુ એ કે પોતાને કલંક ન લાગે. જેને સંસા૨ની નિર્ગુણતા સમજાય, જેને આ રજોહરણમાં કલ્યાણ લાગે તે બધા દીક્ષા માટે યોગ્ય. આંધળો આવે તો ના પાડવી પડે કારણ તે ઇર્યાસમિતિ આદિનું પાલન ન કરી શકે. એ રીતે જે અન્ય પણ ગુણ-દોષ જોવાના છે, તેની પાછળનાં ચોક્કસ કારણો છે અને એમાં એના જ હિતની વિચારણા છે. 1787 શ્રાવકની કરણી : શ્રાવકની કરણી શી છે ! ‘નમો જિણાણં’ કહેતાં ઊઠે, અશુચિ ટાળી શુદ્ધ થઈ સામાયિકાદિ આવશ્યક કરે, પછી ઘરમંદિરમાં વાસક્ષેપ, ધૂપ, દીપ આદિ પૂજા કરી ચૈત્યવંદન કરે, પચ્ચક્ખાણ લે, ગુરુ પાસે જાય, તેમને વંદન કરી સંયમની સુખશાતા પૂછે, ત્યાં ફરી પચ્ચક્ખાણ લે, પછી પોતાથી ન રહી શકાય તેવું હોય અને નવકારશી પા૨વી પડે તો પોતાને સૂઝતું કરે, પછી વ્યાખ્યાન શ્રવણ ક૨વા જાય, ફરી મધ્યાહન પૂજા કરે, પછી તપ ન હોય અને ખાવું પડે તેમ હોય તો શ્રાવક જીવનની મર્યાદામાં રહીને ખાય. પછી અર્થચિંતા કરવી પડે તેમ હોય તો તે પતાવી બે ઘડી દિવસ બાકી હોયને ચોવિહાર થાય તે રીતે ઘેર આવી જાય અને ચોવિહાર કર્યા બાદ આવશ્યક ક્રિયા કરી સ્વાધ્યાય કરે. આટલું ક૨વા છતાં શ્રી જિનેશ્વરદેવ તથા નિગ્રંથગુરુને ન ઓળખે તો ઊંધું વાળે. ત્રણ ચાર કલાક કરવી પડતી અર્થચિંતા પણ ક્યારે ઘટે તે માટે આ બધી ક્રિયા છે. ‘ન્યાયસંપન્નવિભવ’નું રહસ્ય ઃ સભા : આજે તો પૈસા કમાવા એ પણ ગૃહસ્થનું કર્તવ્ય મનાય છે. ૭૯ એવું માનનારા અજ્ઞાન છે. શ્રી હેમચંદ્રસૂરિ મહારાજાએ સ્પષ્ટ લખી નાખ્યું છે કે, ‘ન્યાયસંપન્નવિભવ' એ માર્ગાનુસારીનો ગુણ પણ એમાં વિભવ એ ગુણ નથી, ‘ન્યાયસંપન્નપણું’ એ ગુણ છે. વિભવ તો હતો જ. વિભવ માટે તો દુનિયાની મહેનત ચાલુ જ છે. વિભવમાં જો યોગ્યતા હોત તો એને ન્યાયસંપન્નતાનું વિશેષણ લગાડવાની જરૂર શી હતી ? ન્યાય એ ગુણભાગ છે. શાસ્ત્રકારે જાણ્યું કે એવા પણ નંગ પાકશે જે વિભવને પકડી લેશે અને ન્યાયને છોડી દેશે. માટે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004831
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 07
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherSanmarg Prakashan
Publication Year2001
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy