SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૮ આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો – ૭ –– - - 17es ભગવાનને કહો કે, “હે પ્રભુ ! તું અમને તાર.' ભગવાન તારવા તૈયાર છે પણ આજ્ઞા માને તેને તારે ને ? આજ્ઞા શી ? ઘરબાર છોડવાની. ત્યાં તમારે મોટો વાંધો. આજના લોકોને આવી વાતો ગમતી નથી અને ન જ ગમે, કેમ કે એમાં સ્વાર્થની હાનિ છે એમ મનમાં બેઠું છે. એથી નક્કી થાય છે કે હજી શ્રી જિનેશ્વરદેવ તથા સાધુને પછાણ્યા નથી. તો પણ તમને મિથ્યાદૃષ્ટિ કહેવા હું તૈયાર નથી. જો કે કહું તો પણ વાંધો નથી, છતાં આટલું બધું કહેવાની આવશ્યકતા નથી. બાકી શાસ્ત્ર તો કહે છે કે શુદ્ધ દેવ ગુરુ ધર્મને પિછાણે તે સમ્યગ્દષ્ટિ, ન પીછાણે તે મિથ્યાદષ્ટિ છે. દર્દી સેગ કાઢવાની ભાવનાવાળો હોવો જોઈએ : મંદિરમાં જવા નીકળતી વખતે આ ઘર મૂકવાનું છે એવું યાદ કેમ ન આવે ? મંદિરમાં પેસતી વખતે ઘર ખોટું છે એવું મનમાં કેમ ન થાય ? શ્રી જિનેશ્વરદેવ તુષ્ટમાન થયા ક્યારે કહેવાય ? સંસાર મોળો પડે તો. ધર્મ પામવા માટે ઊંધી માન્યતાઓની દીવાલો તોડવી જરૂરી છે. એ દિવાલો તોડતાં અમારે ગાળો ખાવી પડે, એ તૂટે ત્યારે તમને કારી ઘા લાગે. પણ દુનિયામાં કોઈ વૈદ્ય એવો નથી કે જે સાકર ખવડાવી દર્દ મટાડે. સાકરથી જો દર્દ મટતાં હોત તો વૈદ્યની જરૂર જ શી ? સાકર તો બજારમાં જોઈએ તેટલી મળે છે. વૈદ્યનાં આટલા પાટીયાં બજારમાં ન લટકતાં હોત. શરીરમાં એવા પણ રોગ થાય છે કે જ્યારે આખું શરીર ચિકિત્સકને હવાલે કરવું પડે. સગાવાલાએ વૈદ્યને લખી આપવું પડે કે ચિકિત્સા કરતાં કરતાં દર્દી મરે તો જવાબદારી આપની નહિ. જે માબાપ પોતાના બાળકના શરીર માટે આવું લખી આપે તે એના આત્મા માટે કાંઈ ન કરે ? સભા : વૈદ્યને શરીર સોંપતી વખતે સંઘની રજા ન લે? ના, ત્યાં રજા લેવાની જરૂર નહિ પણ સાધુને સોંપવો હોય તો રજા લેવી પડે એવો આજના બુદ્ધિમાનોનો દાવો છે. ત્યાં તો સંઘની સલાહ શું! માબાપની પોતાની સલાહ પણ કામ ન લાગે. વૈદ્ય કહે તેમ જ કરવાનું. વૈદ્ય પણ દર્દીની એક યોગ્યતા જુએ કે એ પોતે કહે તેમ કરશે. આ વાત કબૂલે તે દર્દી યોગ્ય. દર્દી ભલે ચીડીયો હોય, એની શારીરિક અને તેને કારણે માનસિક સ્વસ્થતા બગડી છે માટે તો આવ્યો છે. પણ રોગ કાઢવાની ભાવનાવાળો એ હોવો જોઈએ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004831
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 07
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherSanmarg Prakashan
Publication Year2001
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy