SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ 17 - ૫ – ભાવ કરુણાની ભવ્યતા – ૧૨૧ ૭૩ આત્માને લાંબો પહોળો, કોઈએ વિભુ તો કોઈએ અણુ જેવો કહીને પતાવ્યું. આપણે તો આત્માના તમામ ભેદ જણાવ્યા. જન્મ, મરણ, કર્તા, ભોક્તા, ઉત્પત્તિ, સ્થિતિ, નિત્ય, અનિત્ય બધું વિગતવાર જણાવ્યું. આત્મા અને કર્મનો સંબંધ, શુભ અશુભ વિપાકનાં ફળ તથા તેના હેતુઓનું વર્ણન કર્યું. આ બધી વાતોની ઝીણવટ જૈનદર્શનના પાને પાને છે. બીજે નહિ મળે. પાણીમાં અને અગ્નિમાં આટલા જીવો છે, એની પંચાતમાં બીજા નથી પડ્યા. અહીં એ પંચાત કરી તેનો એક જ હેતુ છે કે પાણીમાં ને અગ્નિમાં જીવો છે એની શ્રદ્ધા ધરાવનારા એ વસ્તુનો દુરુપયોગ ન કરે. સાચો શ્રાવક પાશેરની જગાએ પાંચશેર પાણી ન વાપરે પણ નવટાંકથી પતાવવાની પેરવી કરે. પાણીના એક બિંદુમાં અસંખ્યાતા જીવ છે એ સમજનાર, પાણી કઈ રીતે વાપરે ? તમે કોઈનો ઘાત કરો તો તમારો ઘાત નહિ થવાનો એમ ? અહીં કાંઈ પોપાબાઈનું રાજ છે ? કર્મસત્તા પાસે ઘમંડ રાખો તે ચાલે ? તમે કોઈને તકલીફ આપો છતાં તમને બાદશાહી મળે એમ ? તમે મોટા અને પેલા નાના જીવ, એટલે તમારી મરજી મુજબ ઉપયોગ કરવાની તમને છૂટ એમ ? અશક્ય પરિહાર વસ્તુ કદાચ કરવી પડે તો તે હજી સંતવ્ય ગણાય, એની માફી પણ મળે. શેઠની પેઢીમાં રહેલો નોકર પ્રમાદથી ભૂલ કરે તો માફી મળે પણ ઇરાદાપૂર્વક ગલ્લો ઉપાડે તો ? સભા: તો પોલીસને હવાલે. ક્ષણિક વિષયસુખમાં અસંખ્યાત જીવોનો ઘાત : અશક્ય પરિહારને છોડીને મરજી મુજબ વર્તો એ ચાલે ? તમે ધમાલ કરી બીજાને કનડો, કદર્થના કરો અને બીજા તમને એમ કરે તો વાંધો એમ ? તમે બીજાની વાતમાં જુઠું બોલો અને તમારી બાબતમાં કોઈએ જુઠું ન બોલવું એવો દાવો ધરાવો તે ચાલે ? તમારું એક હાંલ્લું જાય તો પણ તમને દુઃખ થાય અને તમે કોઈના લાખ્ખો લાવી “સગવડે આપશું' એમ કહો ત્યાં હરકત નહિ એનો અર્થ શો ? તમારા ક્ષણિક વિષયસુખમાં અસંખ્યાતા જીવોનો ઘાત થાય છે તે જાણો છો ? લોઢાની ભુંગળીમાં રૂ દાબીને ભર્યું હોય અને પછી અગ્નિનો કણીયો મહીં મૂકીએ તો બધું રૂ બળી જાય તેમ એક વખતના વિષય સેવનમાં અસંખ્યાત જીવોનો ઘાત થઈ જાય છે. શાસ્ત્રકારોએ આ ઉપમાથી સમજાવ્યું છે કે વિષયના ક્ષણિક સુખ માટે આ રીતે અસંખ્ય જીવોનો દાટ વળે છે. આટલું સાંભળ્યા પછી પણ સાન ભાન ઠેકાણે ન લાવો ? મર્યાદા ન બાંધો ? એ માટે આત્માને શિખામણ પણ ન આપો ? પાપની પ્રવૃત્તિ કરી રહ્યા પછી આત્માને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004831
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 07
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherSanmarg Prakashan
Publication Year2001
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy