SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ ઇઃ આગમનો અરીસો : 120 U-117 વિ. સં. ૧૯૮૬ કાર્તક વદ-૧૨ ગુરુવાર તા. ૨૮-૧૧-૧૯૨૯ • દ્રવ્યઅંધાપો અને ભાવઅંધાપો : ૯ પૌલિક અભિલાષાએ ધર્મ ન કરો ! છે એ કોમળતા જેમ કરુણા છે, તેમ એ • ભાવદયામાં દ્રવ્યદયા નિયમો : કઠોરતા પણ કરૂણા જ છે : • ગુરુનાં સામૈયાં શા માટે ? 0 પૈસા વધે તો ધર્મ ઘટે : · અણુવ્રત શા માટે ? ૦ કરુણાનો મર્મ સમજો ! • ચમત્કાર કયારે બતાવાય ? • જૈન શાસનની સ્થાપના શા માટે ? • લક્ષ્મી મળે તો ધર્મસેવા, ન મળે તો વોસિરે : ૦ આગમ એ અરીસો છે : ૦ શ્રાવકનાં ઘર કેવા હોય ? વિષયઃ અંધાપો અને અંધકાર, કરુણાનો વ્યાપ, આગમની મહત્તા, ધર્મ પાસે કરાતી માગણી. દ્રવ્ય અને ભાવ ભેદે અંધાપાનું અને અંધકારનું વર્ણન શરૂઆતમાં કર્યા બાદ અંધાપા અને અંધકારને વધારવાના પ્રયત્નો કરનાર આત્મા કેવળ કરુણાપાત્ર છે, એ બતાવતાં કરુણાના અનેક પ્રકારો દર્શાવ્યા છે. કોમળતા જેમ કરુણા છે; તેમ અવસરે કઠોરતા પણ કરુણા જ છે. એ માટે ભગવાનશ્રી નેમિનાથ અને ગજસુકુમાલનો દાખલો આપી સાધુ અને શ્રાવકના વ્રતોનો તફાવત સમજાવી કરુણાનો વ્યાપ સમજાવ્યો છે. અંધાપા અને અંધકારથી પીડાતા જીવોને ચક્ષુ આપનાર જૈન આગમો છે. એ અરીસા રૂપ છે. એ અરીસાની સુરક્ષા કરનાર અને તેનો વિનાશ કરનાર કેવા છે, તે પણ સુંદર રીતે બતાવ્યું છે. આગળ વધી ધર્મ, માગેલું જરૂર આપે પણ માગવા માટે ધર્મ નથી, લક્ષ્મી મળે તો ધર્મ કરવો પણ લક્ષ્મી મેળવવા ધર્મનો ઉપયોગ કરવાનો નથી. લાલચ આપીને પણ ધર્મ કરાવાય નહિ વગેરે વાત સમજાવતાં પૂ. આ. શ્રી હેમચંદ્રસૂરિજી મ. અને દેવબોધિનું દૃષ્ટાંત રજૂ કર્યું છે. | ଏଯାଏ • વિવેક એવી વસ્તુ છે કે જે વસ્તુ જેવી હોય તેને તેવી બતાવે છે. ૦ કરુણા કરનારના હૈયાં અવસરે કઠોર પણ હોવાં જોઈએ. માત્ર કોમળ હૈયાવાળો સાચી કરુણા કરી કતો નથી. સાચો શિક્ષક વિદ્યાર્થીને કડક લાગે, સાચો બાપ પુત્રને આકરો લાગે, તેમ સાચો ગુરુ દુનિયાને ભયંકર લાગે તેમાં નવાઈ શી ? અપરાધીને મારે તે જ શ્રાવક એમ નહિ, પણ ન મારે એ શ્રાવક અને તેના પ્રત્યે દુશ્મનભાવ ન રાખે તે મહાશ્રાવક. • ધર્મ સાથે હોય તો મળેલું મૂંઝવે નહિ. • દેવ, ગુરુ, ધર્મ પાસે એહિક કામ કરાવવાની કામના એ જ અશ્રદ્ધા છે. • જેને આપણે તારક માનીએ તેને માટે તો મરી ફીટવું જોઈએ. • તમારા ઘરોમાં નિર્વેદ અને વૈરાગ્ય વધશે તો બધા કજીયા આપોઆપ શમી જશે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004831
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 07
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherSanmarg Prakashan
Publication Year2001
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy