SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮ - આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૭ ------- કે, “શેઠ ! પૈસા નથી જોઈતા. આ શરીર ઉપર દાગીના જે બધા પહેર્યા છે તે આપના પ્રતાપે જ છે!” શેઠ કેટલા ઉદાર હશે! આગળ શ્રીમંતો પૂજાની સામગ્રી ખરીદ કરે ત્યારે ભાવ નહોતા કરતા. જે માગે તે આપી દેતા અને પેલો પણ વાજબી જ માગે, આવો વ્યવહાર હતો. શેઠે ઘેરથી જે કાંઈ પૈસા બચ્યા હતા તે લાવી હાર લીધો. આ બધી વાત અગાઉ કહેવાઈ ગઈ છે પણ વાતનો મુદ્દો એ છે કે જે મુનિના ઉપદેશથી મંદિર બાંધેલું અને નિયમ લીધેલો તે મુનિ વિહાર કરતા ત્યાં આવી પહોંચ્યા. શેઠને જોઈ પરિસ્થિતિ કળી ગયા. પૂછ્યું કે ભાગ્યશાળી, શી હકીકત છે?' એટલે તરત શેઠ હાથ જોડીને કહ્યું કે – “ભગવંત! આપ મારી સાંસારિક સ્થિતિ માટે તો પૂછો નહિ તેની મને ખાતરી છે. મારા આત્માની આપને ફિકર હોય તે સ્વાભાવિક છે. પરંતુ, કૃપાનાથ ! આપની કૃપાથી એ બાબતમાં તો હું દિવસે દિવસે ચડતે રંગે છું !” મુનિ પણ આ સાંભળી આંચકો ખાઈ ગયા. પોતે પૂછવામાં ભૂલ કરી એ બાબત સાવધ થઈ ગયા; કારણ કે મુનિ તો શેઠની શ્રીમંતાઈ અંગે જ પૂછી બેઠા હતા. શ્રાવકો આવા હોય. મુનિ કદી બીજી વાત કરે તો હાથ જોડી કહી દે કે “ભગવંત! બીજી વાતોનો તો આપને પુષ્કળ અનુભવ છે. આપ તો અમારી પાઘડી ઊતરે તેવું કાંઈક કહો અને પાઘડી ઉતારવા જોગા અમને બનાવો.” શાસન પ્રત્યેની ફરજ બજાવશે : આજના શ્રાવકો તો કહે છે કે “સાધુઓ સમાજના રોટલા ખાય છે માટે સમાજના જીવન-વ્યવહારની તેમણે ચિંતા રાખવી જોઈએ. એકલી ધર્મની વાતો આ જમાનામાં ન ચાલે ! આવું શ્રાવકો કહે ને સાધુ મચક આપે તો બેયનું બગડે. શ્રાવક આવું કહે તો સાધુ ન માને અને સાધુ કહે તો શ્રાવક ન માને તો બેય સુધરે. ખામી બેયની છે તેથી શાસન ઉપર આઘાત થઈ રહ્યા છે. તકલીફો તો આવે પણ પુણ્યવાન પુરુષો તકલીફ વેઠીને પણ શાસન ટકાવે છે. અર્થાત્ જયવંતા શાસન પ્રત્યેની પોતાની ફરજ બજાવે છે. છઘ0માત્રમાં ખામી હોય ! દસ-વીસ વર્ષ તકલીફો વેઠ્યા વિના અને અજ્ઞાનીઓની ગાળો ખાધા વિના ઉદ્ધાર થાય તેમ નથી. આકૃતિથી માણસ તરીકે ઓળખાતાઓ ગમે તેમ બોલે. જેમ તેમ બોલે એ માણસ કહેવાય ? શું ત્યાગ એ કાંઈ મોટો “હાઉ” છે? જૈન દર્શન પામેલાને ત્યાગ સામે કટાક્ષ હોય ? અલબત્ત પાંચે આંગળી સરખી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004831
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 07
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherSanmarg Prakashan
Publication Year2001
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy