SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ rs - ૩ઃ અજ્ઞાનીઓની અવદશા અને જ્ઞાનીઓની દયા - 119 – ૪૭ સભા: “સાધુનો બહુ વિવેક કરવાથી સાધુઓ બગડી ગયા ને ?” જે શેઠિયાઓ ભક્ત હતા તે એવા ન હતા કે સમયે સાચી વાત ન કહે. એ વાત ખરી કે જેમણે કેવળ વેશની પરવા કરી અને સાધુપણાની દરકાર ન રાખી એના પ્રતાપે તથા એવાઓમાં ભળેલા શ્રાવકોના પ્રતાપે બગાડો થયો. શ્રાવકોએ સાધને સાધુપણામાં રહેવા દીધા હોત, પોતાની મરજી પ્રમાણે ચલાવવામાં ન પડ્યા હોત તો આ દશા ન આવત. જૈનશાસનના સાધુઓને તો મુધાદાયી અને મુધાજવી કહ્યા છે. સાધુ ઉપદેશ પણ ઉપકારબુદ્ધિથી આપે છે; નામના માટે, વધુ ભક્તો થાય એ માટે કે આહાર પાણીની સારી સામગ્રી મળે એ માટે ન આપે. સાધુ ગોચરીએ જાય ત્યાં “ધર્મલાભ' જ છે. એનો અર્થ એ કે તમને ધર્મનું પ્રયોજન હોય તો દો, “હું આવો છું માટે દો, એમ નહિ. “અમે તમારા નહિ, અમે તો ભગવાન મહાવીરદેવના' - આ નીતિ જળવાઈ હોત તો આ દશા ન આવત. શ્રાવક પણ કહી દે કે “આપ પરમાત્મા મહાવીરદેવની આજ્ઞાને માનો ત્યાં સુધી અમે આપને માનીએ, આપ આજ્ઞા આપી મૂકો તો આપને સમજાવીએ, સમજો તો માથા ઉપર અને ન સમજો તો “આ સ્થાન આપના માટે નથી' એમ કહી દઈએ.” આ નીતિ બરાબર જાળવી હોત તો આજની દશા ન આવત. શાસ્ત્ર કહે છે કે બેય અંગ શબ્દ જોઈએ. બેય અંગ શુદ્ધ હોય તો બગાડ ન થાય. પરસ્પર એકબીજાને સુધારવાની ફરજ છે. ન સુધરે. તેની સાથે સંબંધ કાપી નાખવાનો છે. ધર્માત્મા શેઠનું દષ્ટાંત : એક શેઠનું દૃષ્ટાંત હું પહેલાં કહી ગયો છું. સદ્ગુરુના ઉપદેશથી સુંદર જિનમંદિર બંધાવ્યું અને જિનપૂજન વિના આહાર ન લેવાનો નિયમ લીધો હતો. દેવયોગે અવસ્થામાં ફેરફાર થયો. ઘરના બધા કહેવા લાગ્યા કે “મંદિર બંધાવ્યું ત્યારથી દશા બેઠી'. છેવટે સ્ત્રીપુત્ર-બધાંએ ભેગાં થઈને શેઠને કહી દીધું કે “કાં તો મંદિર છોડો, નહિ તો ઘર છોડો.' શેઠે ઘર છોડી દીધું. એક જુદી ઓરડીમાં રહી નિત્ય ત્રિકાળપૂજા, ઉભયટંક આવશ્યક, પૌષધ, પ્રતિક્રમણ અને નિત્ય એકાસણું કરવા લાગ્યા. ખભે કોથળો કરી આજીવિકા ચલાવવા લાગ્યા. વૃદ્ધાવસ્થામાં પણ કેવી અડગ ટેક?મિલકત અને સગાંવહાલાં બધું ગયું તેને ઉપાધિ ગઈ તેમ માનવા લાગ્યા. કોઈ એક પર્વના દિવસે શેઠ પૂજા કરવા ગયા ત્યારે માલણે ખાસ બનાવેલો મોટો હાર શેઠને આપવા માંડ્યો. શેઠે કહ્યું કે, “આજે પૈસા નથી.' ત્યારે માલણે કહ્યું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004831
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 07
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherSanmarg Prakashan
Publication Year2001
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy