SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ 171 – ૨ : ધ્યેય અને સિદ્ધાંત એક જ જોઈએ - 118 – ૨૯ જરા પણ ઇચ્છા નહિ છતાં રોગથી પીડાવું પડે છે, છતે છોકરે વાંઝિયા જેવું બનવું પડે છે, આ બધી વસ્તુ દૃષ્ટિમાં નથી આવતી ? કર્મ શું કામ કરે છે, એ વર્તમાનમાં અમાનુલ્લાએ દષ્ટાંત પૂરું નથી પાડ્યું ? એક જ વર્ષમાં શું નું શું થઈ ગયું એ ન જોયું? આજનો પંડિત તો પંડિતમાની છેઃ પાપ જે થાય છે, આરંભ-સમારંભથી આત્મા જે બંધાય છે તેનાથી કોઈ કાળે છુટાય તેમ નથી. કર્મના કાયદાની ચુંગાલમાંથી બચાય તેમ નથી. મદોન્મત્ત બનીને બધું હંબગ માને તેની સાથે વાત શી કરવાની ? જેને બોલવાનું ભાન ન હોય તેને સાંભળવાની જરૂર નથી. આજના વિદ્વાનો પંડિત નથી પણ પંડિતમાની છે. ઈંદ્રભૂતિ તો પંડિત હતા, મિથ્યાભિમાની ન હતા. “સર્વજ્ઞ છે એમ સાંભળ્યું કે તરત થયું કે જો એને હું જીતી ન શકે તો મારી સર્વજ્ઞ તરીકેની નામના ધૂળમાં મળી જાય. ભાઈએ કહ્યું, તમે ન જાઓ, હું જ જાઉં, ત્યારે કહે છે કે મને ખાતરી છે કે મારો એક વિદ્યાર્થી પણ જીતી આવે એમ છે છતાં મારાથી હવે બેસી શકાય એમ નથી. કતરાની અને સિંહની જાતમાં ભેદ છે. ઊંચાઈમાં કે શરીરમાં કદી સરખા પણ થઈ જાય છતાં કૂતરા હમેશાં હાથીની પાછળ જ ભસે, સામે કદી ન જાય અને સિંહ સામેથી તરાપ મારે, પાછળથી કદી ન મારે. ઇંદ્રભૂતિ કહે છે કે સામે જઈને મારી શક્તિ આ પ્રસંગે ન બતાવું તો હું પંડિત શાનો ? આવા ખેલદિલ હતા તો એ પામી ગયા અને એમની પાછળ બીજાઓ પણ પામી ગયા. યુદ્ધનું નામ સાંભળે ત્યાં શૂરવીરની રોમરાજી વિકસ્વર થાય જ. આજના પંડિત એવા કે બીજા પંડિત સાથે એમને પરિચય ન પાલવે. પેલો ઉગમણે આવ્યો સાંભળે કે આ આથમણે જવા માંડે. ઘરમાં બેઠા “હું જીત્યો? એવું કહેનારા ઇંદ્રભૂતિ ન હતા. પ્રભુને જોયા ત્યાં જ વિચારણા કરી. “હું શું માનતો હતો ને આ શું જોઈ રહ્યો છું? હું આને પ્રપંચી, ધૂર્ત, કપટ અને માયાનું કુલમંદિર કહેતો હતો અને અહીં તો એવું કાંઈ દેખાતું જ નથી. આ તો કોઈ અદ્ભુત છે.” એ વિચારણામાં ચડ્યા. ત્યાં ભણેલું યાદ આવ્યું. સઘળા દોષથી રહિત અને સઘળા ગુણોથી સહિત છેલ્લા તીર્થકર થવાના છે તે જ આ લાગે છે. તો પણ અભિમાનના જોરે એમ તો થયું કે જો હું આને જીતી જાઉં તો તો દુનિયાભરમાં મોટો ગણાઈ જાઉં. પણ પાછું થયું કે જો મારી શંકા એ જાણી જાય તો એ સર્વજ્ઞ સાચા અને તે પછી એમના ચરણે જ બેસી જાઉં. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004831
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 07
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherSanmarg Prakashan
Publication Year2001
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy