SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ - આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૭ - it થાય, મમત્વ ઘટતું જાય, ઓછા ટંક, ઓછા દિવસ, એમ બધું ઓછું ઓછું થતું જાય એની કાળજી રાખવી. ભોજન કુપથ્ય છે છતાં એને પણ ઔષધ બનાવી શકાય છે. તત્ત્વજ્ઞાની બંધના કારણને નિર્જરાનું કારણ બનાવી શકે છે. શ્રી તીર્થકરદેવોએ ભોગ ભોગવ્યા છતાં મુક્તિપદ સાધ્યું. વર્ષો સુધી ભોગ ભોગવ્યા પણ તેને રોગ માનીને ભોગવ્યા. સાજો પણ ગાદી પર પડી રહે ને માંદો પણ પડી રહે છે પણ તે બેમાં ભેદ ખરો કે નહિ ? ગાદી ભોગવો પણ તે માંદાની જેમ; છોડવાની ભાવનાએ. માંદો સાજા કરતાં સારી ગાદી પર પડેલો છે પણ પડી રહેવાની ભાવનાથી નહિ. તીર્થંકરદેવો એ રીતે જ ભોગ ભોગવતા હતા. ભોજન એ ભૂખને વધારનારું છે પણ ઘટાડનારું નથી. કુપથ્ય રોગીને ખાતી વખતે લહેજત પણ આપે પરંતુ કલાક પછી બૂમો પડાવે. શ્રી જિનેશ્વરદેવોએ છતી સામગ્રીએ ભૂખ્યા રહેવામાં ધર્મ કેમ બતાવ્યો ? ઘરબાર, કુટુંબ-પરિવાર, રિદ્ધિસિદ્ધિ વગેરે સઘળું ત્યાગ કરીને છતી સામગ્રીએ ભિક્ષા માગવામાં ધર્મ કેમ કહ્યો ? છતી ભોગસામગ્રીએ ભોગ છોડવાનો માર્ગ કેમ બતાવ્યો ? જે વસ્તુઓ તમને સુખરૂપ લાગે છે તે વસ્તુઓ વસ્તુતઃ દુઃખરૂપ છે એમ તેઓએ જ્ઞાનમાં જોયું પણ તમને એ સમજાવવું મુશ્કેલ છે. સંસારમાં થોડું પણ સુખ હોય અને મોક્ષમાં થોડું પણ દુ:ખ હોય તો જ્ઞાનીઓ કહે છે કે, એ બતાવો. દયાના સ્વરૂપને સમજો : વ્યવહારદયા, નિશ્ચયદયા, દ્રવ્યદયા, ભાવદયા વગેરેનું સ્વરૂપ વિચારવા જેવું છે. દ્રવ્યદયા વખોડી નથી તેમ છતાં કેવળ વખાણી પણ નથી. એની અનુમોદના કરી પણ પ્રશંસા ન કરી. જે દયાના પરિણામે ભાવદયા ઘાયલ થતી હોય, ઊડી જતી હોય, આત્મતત્ત્વની ચિંતા વીસરી જવાતી હોય, એ દયા વસ્તુતઃ દયા નથી અને તેથી જ આસ્તિક્ય આવ્યા વિના સાચી અનુકંપા આવતી નથી. સમ્યગ્દષ્ટિ અને મિથ્યાષ્ટિનો ભેદ : લોકોત્તર મિથ્યાત્વ સમ્યગ્દષ્ટિ (જૈનધર્મની ક્રિયા કરનાર) માટે છે, મિથ્યાદૃષ્ટિ (અન્ય ધર્મની ક્રિયા કરનાર) માટે નહિ. શ્રી જિનેશ્વરદેવની પાસે આપણે અર્થકામની લાલચે જઈએ તો મિથ્યાત્વ લાગે પણ મિથ્યાત્વમાં પડેલાઓ અર્થકામની લાલચે જાય તો તેઓ કામ પડ્યું પામી પણ જાય, કારણ કે આવ્યો સુયોગ્ય પાસે. જેનું અત્યાર સુધી નામ પણ જાણ્યું ન હતું, જેની પાસે આવવાનો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004831
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 07
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherSanmarg Prakashan
Publication Year2001
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy