SearchBrowseAboutContactDonate
Page Preview
Page 295
Loading...
Download File
Download File
Page Text
________________ 199 – ૧૮ઃ જ્યાં ભાવના લુખી ત્યાં સમ્યગ્દર્શન નહિ - ૧૩૪ – ૨૭૯ કપાઈ જાય. એ રીતે આગમ પણ પચે એના માટે છે. જેટલા ગુણ જોઈએ તેની આજુબાજુની સામગ્રી દૃઢ બનાવવી જોઈએ. તો ધૂનન થાય. ધૂનનમાં તો કચરો કાઢવાનો છે. તંબોલી સડેલાં પાન કાતરવાનું ચાલુ ન રાખે તો પાનનો આખો કરંડિયો સડી જાય. અત્યાર સુધી કાતર સજાવાતી હતી, પાણી ચડાવાતું હતું, સરેણી પર તણખા પણ ઝરતા હતા, ત્યાં તમને વાંધો ન હતો. હવે તો કાતર ચલાવવાની તૈયારી થઈ. કાપકામમાં તો ગુણવાન હોય તે સ્થિર થઈને ટકે. સંસારની અસારતા અસ્થિમજ્જા સમજાઈ ગઈ હોય તે ટકે. ઊંઘમાં પણ સંસારની અસારતાનાં સ્વપ્નાં આવે અને ઝબકીને જાગે ત્યારે પણ એવા જ ઉદ્ગાર નીકળે. શાસ્ત્રો ને ચરિત્રોમાંથી ઊંધું શોધનારા : કહે છે કે ભગવાન પણ પરણ્યા હતા ને ? કલ્પસૂત્રમાંથી આ વાત લઈ આવ્યા. પણ યશોદાને દેવા એમના પિતા આવ્યા ત્યારે સિદ્ધાર્થ રાજા કહે છે કે “અમારો વર્ધમાનકુમાર જન્મનો વિરાગી છે, એની સાથે લગ્નની વાત પણ કેવી રીતે કરવી ?' મિત્રો પાસે વાત કરાવે છે પણ મિત્રોય નાસીપાસ થાય છે. મિત્રોને પણ ભગવાન કહે છે કે “મૂર્ખાઓ ! ભવમાં ભટકવાના કારણભૂત લગ્ન માટે આવો ખોટો આગ્રહ કેમ ?” ત્યારે સિદ્ધાર્થ રાજા મૂંઝાય છે. આખરે ત્રિશલા માતા આવે છે અને ભગવાનને કહે છે કે – “હે વત્સ ! તું જન્મથી વિરાગી છે તે અમે જાણીએ છીએ પણ અમારી ખાતર માન.” ભગવાન પણ જ્ઞાનથી એવી સ્થિતિ જાણીને “ભલે માતા પણ તુષ્ટમાન થાઓ' એ રીતે સંમત થાય છે. આ બધી વાત ન લીધી અને માત્ર લગ્નની વાત પકડી, શાથી ? લગ્ન પાપ છે એ જગ્યું નથી. અબ્રહ્મ એ પાપ છે, એ વાત રોમરોમમાં પરિણમી નથી. બ્રહ્મચર્ય વિના કલ્યાણ નથી એ વાત મગજમાં ઠસી નથી. ભગવાને કર્યું તેટલું બધું કરવાનું કહેતા હોય તોય ધૂળ નાંખી, પણ આ તો વર્તમાનમાં જેટલી હિલચાલ ચાલે છે એના ટેકામાં ભગવાનના જીવનમાંથી પ્રસંગો શોધાય છે, ગોઠવાય છે. સત્યાગ્રહનો પવન ચાલતો હતો ત્યારે એક શોધ કરી કે, ભગવાન મહાવીર ચંડકોશિયાના સ્થાન પર ગયા. લોકોએ ત્યારે તેમને ના કહી હતી છતાં ભગવાન ગયા. ત્યાં એ સંશોધક લખે છે કે “લોકને માટે બંધ થયેલો માર્ગ ખુલ્લો કરવા મહાવીર ત્યાં સત્યાગ્રહ કરવા ગયા.” શાસ્ત્ર કહે છે કે ભગવાન ચંડકોશિયાને પ્રતિબોધ કરવા ગયા. ભગવાને તો ચંડકોશિયાને ફક્ત “બૂઝ, બૂઝ' કહ્યું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004831
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 07
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherSanmarg Prakashan
Publication Year2001
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy