SearchBrowseAboutContactDonate
Page Preview
Page 294
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૮ ——— આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૭ ::: કરનાર છે અને બીજે ઠેકાણે એમ પણ કહ્યું કે યોગ્ય ભૂમિકામાં રહેલાને અર્થકામ લાભદાયી પણ છે. અનર્થ કરનારા છે એમ ચોથા પાને કહ્યું તો લાભદાયી છે એમ છઠે પાને કહ્યું. હવે છઠું પાનું વાંચે અને ચોથું મૂકી દે તો શું થાય? આગમ કોને અપાય ? રોગી ગમે તેવો ડાહ્યો પણ વૈઘ રૂપિયાભાર કોઈ ચીજની છૂટ આપે અને પેલો પાંચ રૂપિયાભાર લે તો ? વૈદ્યના કહ્યામાં એનું ડહાપણ કામ ન લાગે. આપવામાં રૂપિયાભારનું પોણો રૂપિયાભાર અપાય પણ પાંચ રૂપિયાભાર કદી અપાય ? રોગી ડાહ્યો, પણ વસ્તુનું અથાણું હોય તે ડાહ્યું નથી. શાસ્ત્રમાં તો સમ્યક્ત કરતાં મિથ્યાત્વનું અનેકગણું વર્ણન છે. સત્યને સાચવવા માટે અસત્યથી બચવા અસત્યનું ભારોભાર વર્ણન છે. હવે આમાંથી અસત્યનો અર્થ તો અસત્યને જ પકડે. માટે આગમ કોને અપાય ? પંચ મહાવ્રત ધારણ કર્યો હોય, ગુરુનિશ્રામાં સર્વસ્વ સમર્પણ કર્યું હોય અને વિગઈનો ત્યાગ કર્યો હોય એને અપાય. એ તો વાંચીને સાર કાઢે કે મારામાં અસત્યનો દોષ ન આવે માટે આ બધા અસત્યના પ્રકારો સમજાવ્યા. શ્રાવકનાં વ્રત આપ્યાં પછી દોષ ન લાગે માટે અતિચારો સમજાવતાં ઝીણામાં ઝીણી વાત કરી. એ બધી બારીઓ તમે વાંચો તો તમારે તો બારે ભાગોળ મોકળી થાય. મુનિને માટે પણ મર્યાદા કે અમુક આગમ અમુક દિક્ષાપર્યાય પછી અપાય, અમુક યોગ્યતાવાળાને અપાય અને અમુક જ આપે. આજે તો આ માટે આચાર્યો પર ભયંકર આરોપ છે કે પોતાની પોલ પકડનારા પેદા ન થાય માટે આગમોની ચાવી પોતાના હાથમાં રાખી. શાસ્ત્રકારે ઉત્તર આપ્યો કે તમારે મુનિપણામાં જોવા જોગું તો બધું તમારી પાસે છે. એક પ્રકરણ એવું નથી કે જેમાં દેવ ગુરુ જોવા જાણવાનાં સાધન ન હોય. પણ એ ભણવું નથી અને જેની ના કહે એ ખાસ ભણવું છે. મૂર્નાની એ ટેવ કે ના પાડો એ દિશામાં ખાસ જાય, જવાનું કહે ત્યાં ન જાય. ધૂનનમાં કચરો કાઢવાનો છે? શાસ્ત્ર નિષેધેલી ક્રિયાને મિથ્યાદષ્ટિ ભવાભિનંદી ખાસ વળગે. રત્ન જડેલી સોનાની કટારી બાળકને ન અપાય, કે પેટમાં ન પોસાય પણ ભેટમાં ખોસાય. તે પણ ખુલ્લી નહીં પણ કવર ચડાવેલી: મુકવી હોય તો જ્યાં મુકાતી હોય ત્યાં મુકાય પણ સોનાની છે માટે આંગળી પર ન મૂકાય, નહિ તો આંગળી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004831
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 07
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherSanmarg Prakashan
Publication Year2001
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy