SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ : ધર્મનો પાયો, સાચી માન્યતા ગમે : તેઓનો જ સુધારો શક્ય છે. ‘દાન ન દેવાય તો ન ઘો. તમારું કૃપણપણું ચાલશે પણ લૂંટ તો નહિ જ ચાલે. તમારાથી ભલું ન થાય તો કાંઈ નહિ પણ બીજાનું ભૂંડું તમારે ન જ કરવું જોઈએ.’ આટલો પણ ઉપદેશ, ઉત્તમ વસ્તુને નહિ સમજી શકનારાઓ પચાવી શકે તેમ નથી. ધર્મવિધાનોથી વિમુખ બનેલા આજના મનુષ્યોને થોડો પણ ત્યાગ કરાવવો એ ભારે થઈ પડ્યો છે. એક સામાન્ય ત્યાગમાં પણ એઓ માટે એટલા વાંધા આવે છે કે જેના સાંધા જડે જ નહિ, જેને ઉત્તમ ચીજ ન ગમે તેના વર્તનમાં સુધારો થઈ શકે નહિ. એવાઓ તો અન્યો તરફથી પ્રભુભક્તિ ખાતર દેવાતી વસ્તુઓ પણ ‘અમને મળી જાય તો ઠીક' એમ માનનારા હોય છે. એટલે એવાઓ કે જેઓને, એક પણ ઉત્તમ વસ્તુ નથી ગમતી તેઓનો સુધારો શક્ય નથી. જૈનશાસનનું પાંડિત્ય જુદું જ છે ઃ 1721 – Jain Education International 117 :: સુધરવા માટે પણ નાલાયક બની ગયેલાઓનું પાંડિત્ય, શ્રી જિનશાસનના રહસ્યથી પરિચિત થયેલાઓને મૂંઝવી શકતું નથી : કારણ કે શ્રી જૈનશાસનનું પાંડિત્ય, કોઈ જુદું જ છે ઃ એ જ કારણે, પાપને પાપ તરીકે યથાર્થ રીતે નહિ સમજનાર પણ, જો ‘પાપ’ શબ્દથી કંપતો હોય તો તેને પણ પંડિત માનેલો છે. આપણે કેવળ પાનાં ભણનારા પંડિત જોઈતા નથી : કારણ કે ‘તેઓ તો શ્રાપરૂપ નીવડે છે.’ જે પાપથી ડરનારા હોય એનાથી કુર્મ નહિ થાય. જેનામાં એક લજ્જા ગુણ પણ આવી જાય તે પણ ઘણાં પાપોથી બચી જાય. લજ્જા એ પાપની ભીતિ છે. જેનામાં એ પણ ન હોય તે શ્રી જૈનશાસનનું પાંડિત્ય ધરાવનારા પાસે આવી શકતા નથી. સાધુઓ, સર્વ પાપના ત્યાગી હોઈ શ્રી જૈનશાસનના સાચા પંડિતો છે. શ્રી જૈનશાસનના એ પંડિતો પાસે, પાપને વધારવાની દૃષ્ટિવાળા નાના પાપીને પણ આવતાં ગભરામણ થવી જોઈએ. શ્રી જૈનશાસનના એ મહાપુરુષો પાસે, શ્રીમંતાઈનો ઠસ્સો બતાવવા આવનારાઓ સહેલાઈથી નથી આવી શકતા, કારણ કે શ્રી જેનશાસનમાં તેવા શ્રીમંતોની એક કોડીની પણ કિંમત નથી. શ્રીમંતાઈ ઠસ્સા માટે નથી, પણ સદુપયોગ માટે છે ઃ સભા : ખપ પડે ત્યારે કામમાં તેઓ જ આવે ને ? લોભિયા અને સંસારની સાહ્યબીમાં જ રાચતામાચતા શ્રીમંતો, કદી જ શાસનના કામમાં આવતા નથી અને કદાચ આવે ત્યારે પણ કાંઈ ઉકાળતા નથી. For Private & Personal Use Only ૧૩ www.jainelibrary.org
SR No.004831
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 07
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherSanmarg Prakashan
Publication Year2001
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy