SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ - આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૭ – – 12 ત્યાગી આગળ પણ શ્રીમંતાઈ બતાવવા આવવું એ તો એક જાતનો કારમો ઉન્માદ છે. ત્યાગી પાસે શ્રીમંતાઈનો ઠાઠ બતાવવાની વૃત્તિ એ નફટાઈ સિવાય બીજું કશું જ નથી. શ્રી જૈનશાસનના શ્રીમંતોની શ્રીમંતાઈ, ત્યાગીને આંજવા માટે નથી, પણ સદુપયોગ કરવા માટે છે. સાચા ત્યાગી તો, મદોન્મત્ત બનીને આંજવા આવેલા ચમરબંધીને પણ કહી દે કે “કોરી શ્રીમંતાઈની અમને કશી જ કિંમત નથી.' શાસનનું કાર્ય તો તે જ શ્રીમંતો કરશે કે જે પ્રભુશાસનના જ રાગી હશે. પ્રભુશાસન ઉપર જેઓને રાગ નથી તેઓ તો નિગ્રંથો પાસે પણ મંત્રતંત્ર આદિ માટે જ આવતા હશે અથવા તો જાતને ધર્મી તરીકે ઓળખાવવા જ આવતા હશે. એવાઓ સમક્ષ, હિતકર સ્પષ્ટભાષિતા, એ સાધુતાનો શણગાર છે. હિતકર સ્પષ્ટભાષિતા, એ સાધુતાનો શણગાર છેઃ શ્રી અનાથી મુનિને મગધના માલિક રાજા શ્રેણિકે કહ્યું કે “આપની પાસે જે ન હોય તે હું પૂરું પાડે : આ વયમાં આ ત્યાગ શું કરવા ?' એ સાંભળી એ મુનિવર ફિક્કુ હસ્યા. તે જોઈને શ્રી શ્રેણિક મહારાજાને આશ્ચર્ય થયું અને એમ લાગ્યું કે “જરૂર મારી માન્યતામાં હું ખોટો છું.' ખરે જ સાધુઓ, ગૃહસ્થની દયા ઉપર નથી જીવતા. જેઓ એવું માનનારા છે કે, સાધુઓ ગૃહસ્થની દયા ઉપર જીવે છે; તેઓ, ગૃહસ્થો હોય તો ધર્મથી પરવારી બેઠા છે અને સાધુઓ હોય તો સાધુતાની કિંમતને સમજ્યા નથી. જો સાધુઓ, ગૃહસ્થોની દયા ઉપર જીવશે તો ગૃહસ્થોને સન્માર્ગ કોણ દર્શાવશે? ઘોડેસ્વાર ઘોડા ઉપર હાથ ફેરવે, પંપાળે અને એવું એવું ઉચિત બધું કરે પણ ઘોડાને પોતા ઉપર ઓછો જ બેસવા દે? આ તો એવી વાત થઈ કે ઘોડેસ્વાર ઉપર ઘોડો ચડી બેસે. પોતાના હાસ્યથી ઠેકાણે આવેલા શ્રી શ્રેણિક મહારાજા પ્રત્યે, શ્રી અનાથી મુનિએ કહ્યું કે “રાજનું!પહેલાં, તમે નાથવાળા બનો અને પછી નાથ થવા આવજો : અનાથ થઈ નાથ થવા આવ્યા છો એ કેમ બને!' આ સાંભળી જે શ્રેણિક મહારાજા, સેવક બનાવવા આવ્યા હતા તે સેવક થઈને ગયા. પ્રભુશાસનના મુનિ આવા સ્પષ્ટભાષી હોય, કારણ કે હિતકર સ્પષ્ટભાષિતા, એ સાધુતાનો શણગાર છે. સાધુઓ, ગૃહસ્થોનું અપમાન કે તિરસ્કાર ન કરે : પણ એટલું તો જરૂર કહે કે “શ્રીમંતાઈ આદિમાં મૂંઝાશો તો પામેલું હારી જશો.” જે સાધુઓ, ગૃહસ્થોને અમે, તમારી શ્રીમંતાઈ વડે જીવીએ છીએ” એમ કહે છે તે સાધુઓ, પોતે પણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004831
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 07
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherSanmarg Prakashan
Publication Year2001
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy