SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨. - આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૭ - 10 કાંઈ જરૂર નથી. એક વર્ષમાં ત્રણ ચોપડી ભણનારા અને ત્રણ વર્ષે એકડા ઘૂંટીને પહેલીમાં જનારા એ બેમાં ફેર શાથી? કહેવું જ પડશે કે એક હોશિયાર છે અને એક ઠોઠ છે એથી. એ જ રીતે ઘરડા ન નીકળ્યા અને નાના નીકળ્યા તેનું કારણ પણ એ જ કે “ઘરડા આસક્ત રહ્યા અને નાનાઓએ આસક્તિને તજી. આથી એમ કહેવા ન જતા કે “અમને ધોળા થયા છતાં વૈરાગ્ય ન થયો અને તમને મૂછના આંકડા પણ નથી ફૂટ્યા છતાં કેમ વૈરાગ્ય થયો ?” એમ કહેવા જશો તો ઊલટી આબરૂ ખોશો. જે ચીજ ઊંચી માની તે સંપૂર્ણ ન લેવાય તો થોડી થોડી પણ લેવાની જ છે. સમજે કે “વિધાન, શામાં છે ?' શાસ્ત્રમાં કહ્યું કે સંપૂર્ણ બ્રહ્મચારી ન બનાય તો, સ્વદારાસંતોષી બનો : આથી પોતાની સ્ત્રી ભોગવવાની શાસ્ત્ર છૂટ આપી એમ ન કહેતા. “સ્વદારાસંતોષ” નામના વ્રતમાં સંતોષનું વિધાન છે પણ દારા-સ્ત્રી ભોગવવાનું વિધાન નથી. શાસ્ત્રની આજ્ઞા તો સંપૂર્ણ બ્રહ્મચર્ય પાળવાની છે. જેને, વિષયો સંપૂર્ણ જીતવા હોય અને જીતવાની તાકાત હોય તેને તો શાસ્ત્રની તે જ આજ્ઞા છે : પણ જેઓમાં એ તાકાત ન હોય તેઓને થોડું થોડું પણ છોડવાની આજ્ઞા છે અને જેઓથી ન છોડાય તેઓએ છોડવા જેવું તો માનવું જ જોઈએ. પૈસા ન છૂટતા હોય ને કમાવા જ હોય તો નીતિને ન છોડો.' આ કથનમાં પણ પૈસા કમાવાનું વિધાન નથી પણ નીતિનું વિધાન છે. એ જ રીતે “સ્વદારાસંતોષી બનવું જોઈએ.' આ કથનમાં “સ્વદારાસેવનનું વિધાન નથી પણ “સંતોષ'નું વિધાન છે. એ વિધાનનો એ ભાવ છે કે સંપૂર્ણ બ્રહ્મચર્ય ન જ પળાય તો પોતાની પત્ની સિવાય બીજી તરફ દૃષ્ટિ સુધ્ધાંય કરો નહિ. જેનામાં પારકાની દારા પ્રત્યે દૃષ્ટિ રોકવાનું સામર્થ્ય ન હોય તે સભ્ય સમાજમાં પણ નિંદનીય ગણાય છે. લોકો, તેને વંઠ કહે છે. એવાઓને સજ્જનો પોતાના આંગણે પણ ચડવા દેતા નથી. પરદા રાગમન એ નીતિથી પણ વિરુદ્ધ છે. પારકી સ્ત્રી સામે દૃષ્ટિ ફેંકનારો ધર્મ ભૂલે છે એટલું જ નહિ પણ નીતિથી પણ ગયેલો છે. જેને ઉત્તમ વસ્તુ ગમે તેનો જ સુધારો શક્ય છે : અનંત ઉપકારી મહાપુરુષોનાં આ અને એવાં જ બીજાં અનેક વિધાનોને નહિ સમજનારા આત્માઓમાં સુધારો થવો અશક્ય છે. જેઓને, ઉત્તમ વસ્તુ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004831
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 07
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherSanmarg Prakashan
Publication Year2001
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy