SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ : ધર્મનો પાયો, સાચી માન્યતા વિષ ખાઈને જીવવા જેવી માન્યતાથી બચો : અનુભવી તો તે છે કે જે, વસ્તુના સ્વરૂપને સમજી અહિતકર વસ્તુથી અળગો રહે. વસ્તુને અયોગ્ય તરીકે જાણીને પણ જે ફસાવા જાય તે તો અજ્ઞાની જ કહેવાય. છોકરું તો અજ્ઞાન છે તેથી અગ્નિમાં હાથ ઘાલે, પણ જેઓ, અગ્નિને અને અગ્નિના દાહક સ્વરૂપને જાણે છે, તેઓને તો, કદાચ અગ્નિ હાથમાં લેવો પડે તો પણ ચીપિયાથી અને તે પણ નળિયા આદિમાં લે. લેવાના અને રાખવાના સાધનના અભાવે હાથમાં લેવો પડે તો ઉછાળતા ઉછાળતાં જ લે. એ જ રીતે જેઓ, વિષયના સ્વરૂપને અને તેના વિપાકને જાણતા હોય : તેઓ તેને ચાલે ત્યાં સુધી ગ્રહણ કરે જ નહિ અને કરે તો સાવચેતીથી; પણ ફસી જવાય તે રીતે તો નહિ જ : આથી જ ‘વિષયના વિરાગી બનવા માટે ભોગી બનવું જોઈએ.’ એવું જગતના કોઈપણ સુવિવેકીએ પ્રતિપાદન નથી કર્યું : એનું પ્રમાણ એ છે કે ‘કોઈપણ આસ્તિક દર્શને, બાળ બ્રહ્મચારીનો નિષેધ નથી કર્યો એટલું જ નહિ પણ તેની પ્રશંસા જ કરી છે.’ આથી સ્પષ્ટ જ છે કે જેઓ સાચા ત્યાગી બનવા માટે : પહેલાં સંસારી બનવાનું કહે છે તેઓ, વિષ ખાઈને જીવવાની ઇચ્છા રાખવાનું કહે છે અને એથી, એના જેવી બીજી મૂર્ખાઈ દુનિયામાં એક પણ નથી : માટે એવી માન્યતાથી બચવું એ જ શ્રેયસ્કર છે. વિશ્રાંતિ અશક્તને માટે છે : જે દર્શનમાં, ચાર આશ્રમની માન્યતા છે, ત્યાં પણ બ્રહ્મચર્યાશ્રમમાંથી કોઈ, સીધો સંન્યસ્ત આશ્રમમાં જાય તો તેને હાથ જોડવાની કોઈ ના નથી પાડતું. ‘રસ્તે ચાલતાં, વચમાં ઝાડ આવે છે, માટે જલદી ચાલી શકવાની શક્તિવાળાએ પણ વિસામો લીધા વગર જવું નહિ.' એમ કોઈ જ કહેતું નથી. રસ્તામાં ચાલતાં ઝાડ, પરબ વગેરે વગેરે આવે પણ જેનામાં બહુ તાકાત છે તે સીધો ચાલ્યો જાય તો કોઈ જ વાંધો નથી લેતું. ચાલનારના છેડા પકડે એવાં ઝાડ ઊભાં ન કરવાં જોઈએ. એકદમ ચાલી એકી સફરે પહોંચવાની તાકાત ન હોય તેને માટે બધાં વિશ્રાંતિનાં સ્થાન છે. તે બેસી બેસીને જાય, પાણી પી પીને જાય, જમી જમીને જાય, અને સૂઈ સૂઈને પણ જાય : અર્થાત્ જેવી જેની યોગ્યતા. ભગવાનના શાસનમાં બધાને સ્થાન છે. સંસારમાંથી જેને મમતા ન છૂટતી હોય તે બે-પાંચ વરસ રહીને નીકળે પણ જેની મમતા પહેલેથી જ છૂટતી હોય તેને રહેવાની જ 1719 Jain Education International For Private & Personal Use Only 117 ૧૧ www.jainelibrary.org
SR No.004831
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 07
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherSanmarg Prakashan
Publication Year2001
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy