SearchBrowseAboutContactDonate
Page Preview
Page 262
Loading...
Download File
Download File
Page Text
________________ – આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૭ ----- ૧૦૦ કષાયના સાધનો તજવા-તાવવાની બધી ક્રિયા એ સંવર. જરાયે મૂંઝવણ ન થાય તેવી મજેની આ વ્યાખ્યા છે. ચાલતાં ઠોકર વાગે, ચામડી છોલાય, પડી જવાય એ બધું સંભવિત છે પણ એને એમ જ કહેવાય કે દવા લગાડો, પટ્ટી મારો, પાટો બાંધો પણ આગળ ચાલો. થાક્યા હો તો થોડો આરામ લઈને પણ ચાલવાનું ચાલુ રાખો, તો જ સ્થાને પહોંચાશે. એ જ રીતે ધર્મક્રિયામાં દોષ સંભવિત પણ એને દોષરૂપે શાસ્ત્ર લેખ્યા નથી. નિરતિચાર વ્રત પાળવું એમ કહ્યું પણ અતિચાર લાગી જાય તેથી મૂંઝાવાનું નહિ. અતિચારવાળા વ્રતપાલન વિના નિરતિચાર વ્રત આવે જ નહિ. શરીરના પ્રેમીઓ પણ વૈદ્ય પડીકીમાં શું આપ્યું છે એ વૈદ્યને પૂછતા નથી. એ તો જે આપે તે વગર જાયે પણ ફાકી જાય. એ વાત ખરી કે વૈદ્ય ઊંટવૈદ્ય ન હોવો જોઈએ. ઊંટવૈદ્યના ઉપચાર કરી જીવવું પણ ખોટું. તપાસ બરાબર કરવી, બોર્ડ બરાબર વાંચી આજુબાજુ પૂછપરછ કરવી.સેંકડે કેટલા ટકા કેસ સુધરે છે તે જાણવું, પછી દવા લેવી. એ પછી દવામાં શું છે, એ ભાંજગડમાં પડાય નહિ. પછી પણ જાણવા મળે કે વૈદ્ય બરાબર નથી, અખતરા કરે છે, તો એ દવા ન લેવી પણ ફેંકી દેવી. ગુરુનિશ્રા વિના વાંચવાની મનાઈ : સભા: આજે તો ખોટું સાહિત્ય પણ બહુ વધી ગયું છે. સારું પણ સાહિત્ય ગુરુનિશ્રા વિના શાસ્ત્ર વાંચવાની મના કરી છે. એમ.એ.નો વિદ્યાર્થી ઘેર ભલે વાંચે પણ બે કલાક કોલેજમાં પ્રોફેસરનું ભાષણ સાંભળવા તો જાય, કારણ કે વિષયને સમજવાની ચાવી ત્યાંથી મળે. એ ચાવીથી વિષય બરાબર સમજાય અને પાસ થાય. વજસ્વામી ઘોડિયામાં અગિયાર અંગ ભણ્યા હતા. શક્તિ એવી કે સાધુઓને ગુરુ કરતાં એમની વાચના વધારે ગમી. આટલું છતાં ગુરુએ વાચના માટે અયોગ્ય કહ્યા કેમ કે એ કાને સાંભળીને ભણેલ છે, ગુરુ પાસે સમજીને નહિ. એ વાત ખરી કે હવે એમના માટે ભણવામાં મહેનત ઘણી ઓછી. આગમો વાંચીને પણ પડી ગયા : ખોટા સાહિત્યની તમે તો વાત કરો છો પણ સારું સાહિત્ય પણ ગુરુનિશ્રા વિના વાંચવાથી કંઈક પડી ગયા, અરે આગમો વાંચીને પણ પડી ગયા. આગમો વાંચી વાંચીને સાર એમણે એ કાઢ્યો કે “આગમના લખનારા મૂર્ખ હતા. માખી પર માખી બણબણે એવું એમણે લખ્યું છે. જે એકે કહ્યું તે બીજાએ અને બીજાએ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004831
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 07
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherSanmarg Prakashan
Publication Year2001
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy