SearchBrowseAboutContactDonate
Page Preview
Page 261
Loading...
Download File
Download File
Page Text
________________ 19. - ૧૭ : આગમ એ જ આધાર - ૧૩૨ ૨૪૫ પાછળ ન પડીએ તો અમારી કિંમત પણ શી? સાધુઓ તમારી આજ્ઞા મુજબ ન ચાલે, આગમની આજ્ઞા મુજબ જ ચાલે. અમારો જાન અમે એને વેચેલો છે. સભા : તો તમે પણ સ્વતંત્ર નહિ ને ? જરાયે નહિ, બલકે મહાપરતંત્ર. જ્યારે કર્મનો એક પણ અણુ ન રહે ત્યારે સ્વતંત્ર. બેડીમાં પડ્યા પડ્યા સ્વતંત્ર કહેવરાવવું એ તો બેવકૂફી છે. મન, વચન, કાયા એ ત્રણમાંથી એકે કાબૂમાં નહિ, એને સ્વતંત્ર કોણ કહે ? એ ત્રણને અહીં સોંપીએ પછી કોઈ ભય જ નહિ. દાદર ઊતરતાં કઠેડો પકડવામાં શરમ શી? કઠેડો પકડયો હોય તો ખસે તો પણ ટેકો છે. કઠેડાને તો સબળ પણ પકડે અને નિર્બળ પણ પકડે. સંસાર તરવો છે તો આગમની આજ્ઞાને પકડવી જ પડશે. ભલે ન પડીએ પણ પડવાનો સંભવ છે, માટે ટેકો જોઈએ. કાંટા વાગશે જ એવું નક્કી નથી છતાં ડામરની સડક પર પણ બૂટ પહેરીને ફરો છો ને ? એ રીતે શાસ્ત્ર પણ કહે છે કે આત્મા વખતે ગબડે પણ ખરો, માટે ટેકો જોઈએ. મુખ્ય વાત રત્નત્રયીની છે ? જે મુનિઓએ આગમ માટે માબાપને છોડ્યાં તે હવે તમારી આજ્ઞા માને ? જો પાઘડીવાળાની આજ્ઞા માનવી હોત તો એમના બાપ ક્યાં પાઘડી વગરના હતા? તમે સંઘરૂપ થાઓ તો તમારી આજ્ઞા માનીએ, કેમ કે પછી તો તમે પણ વળગો તો આગમને જ ને ? મુખ્ય વાત રત્નત્રયીની છે. અમુક વિષયોના મતભેદને આઘા રાખવાના છે. આશ્રવ એ બાધક અને સંવર એ સાધક, આ બે વાત મહત્ત્વની છે. આશ્રવને સંવર ને સંવરને આશ્રવ મનાય, મનાવાય એ ન ચાલે. સામાન્ય મતભેદમાં મૂંઝાવાની શાસ્ત્રકાર ના કહે છે, કેમ કે છબસ્થમાં અજ્ઞાનતાના યોગે અનુપયોગ હોય. આખી દ્વાદશાંગીનો સાર જ આ છે કે આશ્રવ સર્વથા તજવા યોગ્ય અને સંવર સર્વથા આદરવા યોગ્ય છે. આશ્રવ એ ભવનો હેતુ છે અને સંવર એ મોક્ષનો હેતુ છે. આ જ આહતી દ્વાદશાંગીનું મૂળ છે અને બીજું જેટલું લખાયું એ બધો એનો વિસ્તાર છે. આશ્રવ સંવરની મજેની વ્યાખ્યા : પ્રમાદાધીન થઈને પ્રમાદને પોષવા માટે કરવામાં આવતી બધી ક્રિયા એ આશ્રવ છે. વિષય કષાયને આધીન થઈ વિષય કષાયની સિદ્ધિ માટે, પોતાના કે પરના અર્થે થતી સારી કે નરસી ક્રિયા એ બધી આશ્રવ. વિષય કષાયથી વિરક્ત બની વિષય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004831
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 07
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherSanmarg Prakashan
Publication Year2001
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy