SearchBrowseAboutContactDonate
Page Preview
Page 252
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૬ – આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૭ ——— — 1944 તમારું બાળક જાય, આ ન જાય. એને વેષ મર્યાદામાં રાખે. ઉતાવળ હોય તો રસ્તામાં તમે દોડો, અમારાથી ન દોડાય. ભલે જાતે તરકડો હોય પણ પોલીસનો પટ્ટો પહેરેલો હોય તો માનો કે નહિ ? ન માનો તો દંડો બતાવે ને ? વેષમાં અને વગર વેષમાં જમીન આસમાનનું અંતર છે. સ્થાન, વસ્તુ, આકારનો પ્રભાવ : કસાઈખાનામાં કોઈ દયાળુ રહે એ અપવાદ પણ દયાળુ બનવા કસાઈખાને જવાય ? ત્યાં જઈને રહેવાય ? નહિ, કેમ કે સ્થાનફેર છે. અહીં તમે આટલું સાંભળો છો કેમ કે હવા જુદી છે. સ્થાન, વસ્તુ, આકાર વગેરે જેવાં હોય તેવાં પરિણામ નિપજાવી શકે છે. પથ્થર ખેંચાણ ન કરે પણ ભગવાનની મૂર્તિ તમને કાંઈક પણ ખેંચી શકે છે. જે લાકડાં ચૂલામાં મુકાય તે જ લાકડાં મકાનની શોભા માટે વપરાય. લાકડું તો બેય કહેવાય પણ કારીગરની કારીગીરીથી કેટલો ફરક પડે ? ચાર રૂપિયે આખું ગાડું લાકડાં મળે અને મકાનના લાકડાનો થાંભલો કેટલા રૂપિયાનો બને ? જૈનશાસનમાં આવેલો સ્થાનની આટલી મહત્તા ન સમજે ? અનુકૂળ પરિણામ આવ્યા પછી ચાર વરસ રહેવાનું કહેનારા શ્રી જિનેશ્વરદેવના શાસનના સ્વરૂપને સમજ્યા જ નથી. પાડોશમાં શ્રી જિનમંદિરમાંથી આવતો અવાજ અને પેઢી પર કાને પડતો બજારનો ઘોંઘાટ એ બે સરખા છે? શાસ્ત્ર કહે છે કે એક દિવસનું ભાવથી સંયમ પાળનાર પણ મરીને અવશ્ય વૈમાનિક દેવ થાય છે. વૈરાગ્યના અભ્યાસની જરૂર બાળકને જ? દશાર્ણભદ્ર રાજા પોતાની સંપત્તિના ગર્વમાં હતો. ભગવાનને વંદન કરવા આવ્યો ત્યારે કોઈ એવો વૈરાગ્ય ન હતો. “કોઈએ ન વાંઘા હોય, એ રીતે વાંદું” એવી ભાવના હતી. સામે ઇંદ્ર જે ઋદ્ધિપૂર્વક આવ્યો તે જોઈ પોતાના મનોરથ ન ફળ્યા એમ લાગ્યું. તરત મુગટ ઉતાર્યો ને ભગવાનના ચરણોમાં બેસી ગયા, બતાવો !એણે વૈરાગ્યનો અભ્યાસ ક્યાં કર્યો ? આટલાં વર્ષના રાગના અભ્યાસીને આ રીતે ત્યાગ કરાય ? વૈરાગ્યનો અભ્યાસ કરાવવાનું માત્ર નાના બાળકને જ કે મોટાને પણ ખરું ? દોષો સેવીને રીઢા થયેલા માટે શાળા નહિ ? દોષ વિનાના બાળકે ગુનો કર્યો એમ ? જે ક્ષણે વૈરાગ્ય થાય તે જ ક્ષણે ઘરથી નીકળી જવાનું જ્ઞાનીએ કહ્યું. 'यदहरेव विरजेत तदहरेव प्रव्रजेत ।' Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004831
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 07
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherSanmarg Prakashan
Publication Year2001
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy