SearchBrowseAboutContactDonate
Page Preview
Page 251
Loading...
Download File
Download File
Page Text
________________ 19s - ૧૫ : બાળદીક્ષા માટે સંસ્કરણ કેટલું આવશ્યક ? ૧૩૧- ૨૩૫ ચારિત્રમાં વિલંબ કરવાનું ન કહેવાય ? જેનું શાસન માનીએ તેના કાયદા માન્ય જ હોય. વિશ્વાસ જ હોય કે મહાપુરુષો ખોટું ન કહે. આઠ વર્ષની દીક્ષામાં લાભ હોય તો જ ભગવાને આજ્ઞા આપી હોય, બાકી વધારે સાધુ કરવાથી કોઈ વિશિષ્ટ પદવી કે કોઈ રાજગાદી મળી જવાની નથી. વળી એના યોગે સંસારનું ભ્રમણ મટી જાય એવી પણ સ્થિતિ નથી. જૂનું સરોવર, ગાઢ લીલફૂલથી સંપૂર્ણ છવાયેલું, આસો માસની પૂર્ણિમાનો ચંદ્ર આકાશમાં ઊગ્યો હોય, તે વખતે પવનની લહેરથી જરાક લીલ ખસી ને કાચબાનું ડોકું બહાર નીકળ્યું ત્યારે એને અપૂર્વ દશ્ય નજરે પડ્યું. એ ખુશ થઈને મિત્ર કાચબાને એ દશ્ય બતાવવા પાણીમાં ડૂબકી મારી અંદર ગયો અને અહીં ખસેલી લીલ પાછી ભેગી થઈ ગઈ. હવે એ શરદ પૂર્ણિમાનો નિર્મળ ચંદ્રમા, વાદળા વિનાનું સ્વચ્છ આકાશ, લીલફૂલ વગરનું વિવર અને પોતાની આંખે અંધાપાનો અભાવ, આ બધું ફરી ક્યારે મળે ? એ માટે કોઈ નક્કી સમય કહેવાય ? જ્ઞાની કહે છે કે ધર્મનાં, દીક્ષાનાં પરિણામ આવે એને વિલંબ કરવાનું કહેનારા, એ આત્માના ભાવધનની લૂંટ ચલાવનારા ભયંકર લૂંટારા છે. “ઉપમિતિ ભવ પ્રપંચા કથામાં આવે છે કે, રાજાને દીક્ષા લેવાનો ભાવ થયો ત્યારે મંત્રી ગુરુને પૂછે છે કે, આઠ દિવસનો શાસનપ્રભાવક મહોત્સવ કરીને રાજા નીકળે તો ? ત્યાં ગુરુ મૌન ધારણ કરે છે, કેમ કે એક તરફ પ્રભાવનાની વાત છે અને બીજી તરફ સંયમના વિલંબની વાત છે. ક્રિયા બેય ઊંચી માટે મૌન. બધે સારી-નરસી બે વાત હોય ? વારુ ! ગૃહસ્થવેષ અને મુનિવેષમાં ફરક ખરો કે નહિ ? હું જાતવાનની વાત કરું છું, ભવૈયાની નથી કરતો. પાઘડી પહેરી શેઠ કહેવરાવીને ફરનારા શઠ ઘણા છે, તેમ સાધુવેષમાં પણ શયતાન ફરતા હોય તેનો ઇન્કાર નથી. બધે સારી-નરસી બે વાત હોય છે. શાહ લખાતા જો બધા શેઠ હોત તો આજના બજારોની આ સ્થિતિ ન હોત. શાહ થોડા અને ચોર ઘણા. આ સાધુ વેષમાં પણ શયતાન ન હોય એમ નહિ. પાંચે આંગળી પણ સરખી નથી એમાં ઉપાય શો ? બાકી જાતવાન આત્મા માટે વેષનો ફરક ખરો ને ? ગૃહસ્થના વેષમાં રહેલું બાળક વાજાં વાગે તો મોટું બહાર કાઢી જોવા દોડે, અને આ વેષમાંનો બાળક ન જાય. ભાવના થાય તો પણ ન જાય. સિનેમાની મોટી જાહેર ખબર વાંચી For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.004831
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 07
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherSanmarg Prakashan
Publication Year2001
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy