SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૪ -- આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો – ૭ 1522 અપવાદ બધે છે : ગૃહસ્થ માટે જ્યાં જ્યાં ધર્મનું વિધાન, ત્યાં ત્યાં રક્ષાની બારી શાસ્ત્રકારોએ રાખી છે. બધે અપવાદ છે. ત્રિકાળપૂજા કહી પણ એ શક્તિ સંપન્ન માટે, શક્તિહીન માટે તો દુનિયાની કાર્યવાહી નીપટતાં જે ટાઇમ મળે તે ટાઈમે પૂજા થાય. રાજાનો કે શેઠનો નોકર હોય, એને યોગ્ય ટાઇમ ન મળે તો ફાજલ પડતા ટાઇમે પૂજા કરે. શાસ્ત્ર કહે છે કે એનો પણ વિચાર કરવો પડે. એને જો એમ જ કહેવામાં આવે કે અમુક ટાઇમે જ પૂજા થાય તો એટલો પણ ધર્મ એને છોડી દેવો પડે. કરતો હોય એ પણ છોડી દે. કોઈનામાં કૌવત હોય એ વાત જુદી, મક્કમ હોય એની વાત જુદી, બાકી વિધિપૂર્વક કરનારા કેટલા ? બહુ સુખી હોય એ વિધિપૂર્વક દરેક ટાઇમે ધર્મ કરી શકે પણ બહુ સુખીને ધર્મ કરવાની પરવા જ નથી, અને બીજા તો કરવી હોય તોય કરે શી રીતે ? આમાંથી સાધર્મિક ભક્તિ પણ સૂચિત થાય છે. જ્ઞાનીએ દૃષ્ટિ બધે દોડાવી છે. પ્રભુનું શાસન અપવાદથી જ ચાલે છે? ધ્યાનના વર્ણનમાં જ્ઞાનીએ કહ્યું કે ધ્યાન એવું કરવું કે શિકારી જાનવર આવીને ફાડી ખાય તો પણ વાંધો નહિ. આ વાત સાચી માનનારા ઘણા હોય પણ એ કૌવત બધા લાવે ક્યાંથી? આજે ખાધા વિના કેટલા દિવસ ચાલે? કોઈ અભ્યાસી બેચાર દિવસ ચલાવે પણ પછી ? જો મુનિ માટે ભિક્ષાની વિધિ ન હોત તો બધા અનશન તો ન કરત પણ ઓઘા મૂકી દેત. અમે પણ ન રહેત કેમ કે એ કૌવત નથી. એવા કૌવત વિના પરિણામ ખરાબ થયા વગર રહે નહિ. આવા પ્રસંગના અપવાદ એ વિધિરૂપ છે, રોજ સેવવા યોગ્ય છે. પ્રભુનું શાસન અપવાદથી જ ચાલે છે. કોઈ જિનેશ્વરદેવનું શાસન ઉત્સર્ગમાર્ગથી ચાલ્યું નથી. ઉત્સર્ગમાર્ગ તો એ કે મુનિથી આંગળી પણ ન ચલાવાય, પણ એવા કેટલા ? પ્રભુની હયાતીમાં પણ એવા કેટલા ? એમના વખતમાં પણ નિરતિચાર ચારિત્ર પાળનારા કેટલા ? જે અપવાદમાં પાપ સેવવું પડે તે અપવાદ ક્વચિત્ સેવાય પણ જે અપવાદ પાપ ખસેડી ધર્મને લાવે તે અપવાદ દરરોજ સેવાય. નોકરિયાત માણસ પોતાને જે મળે તે ટાઇમે પૂજા કરે પણ પૂજા વિના ન રહે તો એ અપવાદ રોજ સેવવા યોગ્ય. એ વિધિરૂપ અપવાદ છે એને કોઈ ઠપકો આપે તો એ પાપી છે. માબાપની રજા વિના દીક્ષા લેવી એ અપવાદ પણ એ અપવાદ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004831
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 07
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherSanmarg Prakashan
Publication Year2001
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy