SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ 18ા – ૧૨ ઃ ઉત્સર્ગ-અપવાદનો અવસર સમજો ! - ૧૨૮ - ૧૮૩ મુનિ એ ભાવનાથી ખસે અને કહે કે ગૃહસ્થને છકાયની વિરાધના વગર ન ચાલે, તો એ મુનિ ડૂબે અને તમે તરી જાઓ. નાનામાં નાનું પાપ નિઃશંકપણે, ધર્મનાં પરિણામ નાશ પામે ત્યારે થાય. શાસ્ત્ર કહે છે કે જુઠ્ઠા, ચોર, અબ્રહ્મચારી તથા પરિગ્રહના રસિયા એ બધા હિંસક છે. એક પણ પાપ હિંસા વિના થતું નથી. ઉસૂત્રભાષી મહાહિંસક છે, કેમ કે એ અનેકને હિંસાના માર્ગમાં જોડનાર અને સ્થિર કરનાર છે. ઘણા જૈનો આજે એમ બોલતા થઈ ગયા છે કે નાની નાની વાતોમાં પાપ શું ? આ સંસ્કાર તેમનામાં ઉત્સુત્રભાષીઓએ પાડ્યા છે, નહિ તો જૈનનો દીકરો એવું બોલે ? એને ગુરુ તરફથી શિક્ષણ મળ્યું હોય કે “આ ન થાય અને આ ન ખવાય તથા ન પીવાય. પૂર્વે જૈનો કદી પાપ કરતા પણ એમાં પુણ્ય મનાવવાનો આગ્રહ નહોતા રાખતા, આજે તો પાપને પુણ્ય મનાવવાનો આગ્રહ થાય છે. એ પ્રતાપ ઉસૂત્રભાષીનો છે. પહેલાંના જૈનો પાપ કરતાં છતાં પાપથી ડરતા, કોઈ ઠપકો આપે તો શરમાતા. આજે તો પરિણામ એ આવ્યું છે કે નઠોર થયા છે, કેમ કે જ્યાં જરૂરત ત્યાં પાપ નહિ, એવું સમજાવવામાં આવ્યું છે. સભ્યત્વની રક્ષાના ઉપાય એટલે જયણાઃ શાસ્ત્રકાર ભગવંતે સમ્યક્તની છ જયણા ક્કી છે. સમ્યક્તની રક્ષાના ઉપાય એટલે જયણા. એનું નિરૂપણ કરતાં પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજા કહે છે કે – વૃત્તિ દુર્લભ આજીવિકા, તે ભીષણ કાંતાર; લલના. તે હેતે દૂષણ નહિ, કરતા અન્ય આચાર, લલના.” પહેલાં એમ કહ્યું કે “પરતીથી પરના સર તેણે, ચેત્ય ગ્રહ્યા વળી જેહ; વંદન પ્રમુખ તિહાં નવિ કરવું, તે જયણા ષટ ભેય રે, ભવિકા.” એટલે પરતીર્થીને ન મનાય, પરસુરને ન નમાય, પરે ગ્રહણ કરેલી શ્રી જિનમૂર્તિને પણ ન નમાય, એને વંદનાદિ ન થાય, કુગુરુ તથા કુમતિ સાથે આલાપ-સંલાપ ન થાય, એનું માન-સન્માન ન થાય, આ બધું કહ્યું પણ એ બધું ન કરે તો આજીવિકા ન ચાલે તેમ હોય તો એને અન્ય આચાર સેવન કરવો પડે. તો એના સમન્વને દૂષણ ન લાગે. આનો અર્થ આજનાઓ એમ કરે છે કે આજીવિકા માટે અનાચાર સેવવામાં પાપ નહિ. શાસ્ત્રકાર તો ત્યાં એમ કહે છે કે સમ્યક્તને દૂષણ નહિ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004831
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 07
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherSanmarg Prakashan
Publication Year2001
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy