SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ ઃ ઉત્સર્ગ-અપવાદનો અવસર સમજો ! 128 J.125 વિ. સં. ૧૯૮૬ માગસર સુદ-૭, શનિવાર, તા. ૭-૧૨-૧૯૨૯ ૦ ધર્મ બીજાના રક્ષણમાં છે, ભક્ષણમાં નથી : • હિંસા, એ પાપ દરેકને માટે છે : • જીવઘાતથી બચવા ત્યાગમાર્ગ છે : • ઉસૂત્રભાષી મહાહિંસક છે : સમ્યક્તની રક્ષાના ઉપાય એટલે જયણા : • અપવાદ બધે છે : • પ્રભુનું શાસન અપવાદથી જ ચાલે છે : • શ્રાવક મંત્રી કેવો હોય ? ૦ આજે દરેક વાતમાંથી ઊંધું લેનારા છે : • આંધળાં અનુકરણમાં લાભ નથી : • સાવધ નહિ રહો તો માર ખાશો : • મુનિનો વિહાર બહુલતયા ક્યાં હોય ? • શુદ્ધિ-અશુદ્ધિનું સ્વરૂપ સમજો ! • જાત ઓળખીને ભાત પાડો! વિષયઃ અપવાદનું મહત્ત્વ. એકલા ઉત્સર્ગથી નહિ પણ બહુલતયા અપવાદથી શાસન ચાલે છે. અપવાદ, અપવાદમાં ફરક હોય છે. વિષયાધીન જીવો રોગાદિ દુઃખ પામે અને ધર્મ નહિ પામવાને કારણે એ રોગોને દૂર કરવા હિંસક ઉપાયો કરી નવો કર્મબંધ અને પરિણામે નવનવાં દુઃખો પામે છે. હિંસા એ પાપ છે અને દરેક પાપોમાં અનંતર પરંપર હિંસા રહેલી છે. એથી બચવા ત્યાગ માર્ગ છે. આ વાત રજૂ કર્યા બાદ “ઉસૂત્ર ભાષણ' પાપમાં મહાહિંસા કેમ છે, એ વાત સુંદર રીતે સમજાવી છે. એના જ અનુસંધાનમાં જયણા અને અપવાદ માર્ગની સુંદરતમ વાતો રજૂ કરી છે. અન્ય સાધર્મિક આપત્તિમાં હોય ત્યારે એની મદદે ધાવવું એ ધર્મ છે, પાપ કરવું પડે તોય પાપને પાપ જ માનવું પડે એ વાતને પુષ્ટ કરવા વસ્તુપાલ-તેજપાલ અને શ્રાવક મંત્રીની વાત પણ રજૂ કરી છે. જિનપૂજા વગેરે અનેક બાબતો અંગેના ઉત્સર્ગ-અપવાદ આ પ્રવચનમાં રોચક શૈલીમાં રજૂ કરાયા છે. મુવાક્યાત • બીજાને દુઃખ આપનારો સુખે જીવે એ આશા જ ખોટી. • અનેકને ભય પેદા કરવાથી, એવી કાર્યવાહી યોજવાથી, નિર્ભયતા મળે એ આશા ખોટી છે. • અકસ્માત થયેલું પાપ મોટું હોય તોય બંધ અલ્પ થાય. નાનામાં નાનું પાપ પણ ઈરાદાપૂર્વક કઠોર હૈયે થાય તો કર્મબંધ વધારે થાય. • ઉસૂત્રભાષી માહિંસક છે, કેમ કે એ અનેકને હિંસાના માર્ગમાં જોડનાર અને સ્થિર કરનાર છે. • જે અપવાદમાં પાપ સેવવું પડે તે અપવાદ ક્વચિત્ સેવાય; પણ જે અપવાદ પાપ ખસેડી ધર્મને લાવે તે અપવાદ રોજ સેવાય. પશ્ચિમના આંધળા અનુકરણમાં લાભ નથી. • શ્રાવક તે ગામમાં રહે જ નહિ કે જ્યાં જિનમંદિર તથા મુનિનું આવાગમન ન હોય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004831
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 07
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherSanmarg Prakashan
Publication Year2001
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy