SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ Amn - - ૧ ધર્મનો પાયો. સાચી માન્યતા - 117 - ૩ ઉદય સમજવો. વિપાકોદયમાં આવેલું કર્મ, વિપાક બતાવી છૂટી જવાનું. એ વખતે એટલી સાવધાની રાખવી જોઈએ કે જેથી નવાં ઘૂસી ન જાય અને બીજાં પણ સાથે ઘણાં છૂટી જાય. કર્મનો ઉદય આવવાનો તો ખરો જ. જે બાંધ્યાં છે તે રિક્ષમાં તો આવવાનાં જ. એમ ન સમજતા કે “બહાર ઠીક ઠીક રહીએ અને પર ગમે તેમ રહીએ તો શું વાંધો છે ?” કારણ કે કર્મસત્તા આગળ એ સફાઈ જ્યારે ત્યારે પણ સાફ થઈ જવાની છે. સંસારી આત્મા, કર્મના સંગથી રહિત નથી : એટલે બંધાયેલાં કર્મ ઉદયમાં આવવાનાં. ઉદયમાં આવવું એ એનો સ્વભાવ જ છે અને ઉદયમાં આવીને પોતાના સ્વભાવ મુજબની સામગ્રી ઊભી ર્યા વગર તે રહેવાનું નથી એ પણ નિશ્ચિત છે : માટે જે આત્માને મુક્તિ જોઈતી હોય તેણે શુભ યા અશુભ કર્મના ઉદયને સમભાવે ભોગવવો જોઈએ. સમભાવે ભોગવવું એટલે આવેલા દુઃખને આકળવિકળ થયા વિના અને આવેલા સુખને આનંદમગ્ન થયા વિના ભોગવી લેવું. જે વિચાર કરવાનો છે તે કર્મબંધ પહેલાં છે. પછી તો એ જ પ્રયત્ન કરવાનો કે વિપાકને ભોગવતી વખતે સાવધગીરી ન ચાલી જાય. બંધની ક્રિયામાં મુસીબત નથી પણ ઉદય વખતે મુસીબત છે. વિપાક તો, ઉદયમાં આવે તે વખતે ભોગવવો પડે છે એટલે એ કઠિન છે, બાકી બાંધતી વખતે તો લહેજત, સ્વાદ અને આનંદ આવે છે એટલે બંધની ક્રિયા તો બહુ સહેલી છે. આત્મા ઉદય વખતે જેટલો મૂંઝાય છે તેટલો જો બંધ વખતે મૂંઝાય તો લાંબો કાળ તે સંસારમાં રખડે જ નહિ. જેટલી સાવધગીરી ભોગવટા વખતે રહે છે, તેટલી જો બંધ વખતે થઈ જાય તો સંસારમાં રખડવાનું ઝટ મટી જાય. બંધાઈ ચૂકેલાં કર્મ, કોઈ ને કોઈ ગતિમાં ઉદયમાં આવ્યા વગર રહેવાનાં નથી પણ જૈનશાસન પામ્યાનો શિક્ષાપાઠ એ જ છે કે બંધાયેલાં કર્મના ઉદય વખતે ન મૂંઝાવ. જો તેમ થશે તો, દબાયેલા આત્માના ગુણો સ્વયમેવ પ્રગટ થવાના છે : એથી, અનંતકાળની રખડપટ્ટી મટાડવાનો એ જ ઉપાય છે. મિથ્યાત્વ અને અવિરતિ આદિનું ઘમસાણઃ શ્રી જૈનશાસન, ભવ્ય આત્માઓને ઉદ્દેશીને એમ કહે છે કે દુનિયા, ઘરબાર, કુટુંબ પરિવાર અને શરીર એ તમારું નથી અને તમે એનાથી જુદા છો. તમે આત્મા છો અને એ જડ છે. પરવસ્તુમાં પોતાપણું માની બેઠા છો એ જ તમારું મિથ્યાત્વ છે. એ મિથ્યાત્વના યોગે અવિરતિ, કષાય, પ્રમાદ અને યોગનું કારમું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004831
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 07
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherSanmarg Prakashan
Publication Year2001
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy