SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ -- - આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૭ - 112 ઘમસાણ ચાલી રહ્યું છે. આત્માને એ વસ્તુથી જુદો માન્યો એટલે અવિરતિ વગેરેનું બળ મંદ પડી જાય છે. અવિરતિ આદિની પ્રવૃત્તિ વધવાનું કારણ, “સમ્યક્ત નથી પામ્યા' એ છે. દેખતાની આગળ ખાડા-ટેકરા હાનિકર નથી નીવડતા : કારણ કે આંધળો અને દેખતો બે આવે એમાં દેખતો સાચવીને ચાલ્યો જાય અને આંધળો ટિચાઈને કુટાઈ મરે. સંસાર તો જેવો મિથ્યાદષ્ટિ માટે ભયંકર છે તેવો જ સમ્યગદષ્ટિ માટે પણ છે : પણ વાત એટલી જ કે સમ્યગ્દષ્ટિ દેખતો હોવાથી ફસી પડતો નથી અને મિથ્યાદષ્ટિ હસી પડે છે. ગુસ્સે ન થાવ, પણ સુધારો : સભા મિથ્યાષ્ટિને આંધળા કહેવા તે કેટલું યોગ્ય છે? દોષ દૂર કરી સુધારવા માટે આપવામાં આવતાં દૃષ્ટાંતોથી ગુસ્સે ન થાવ પણ તે તે દોષો હોય તો દૂર કરીને સુધરો. દોષ દર્શાવનારું દૃષ્ટાંત, જેનામાં દોષ હોય એને જ લાગુ થાય તેને, જ્યારે કોઈપણ પકડી લે કે આ તો અમારા ઉપર આવ્યું તો હું તો, એમ જ માનું કે એનામાં એ દોષ છે. વિષયાધીનોને શ્વાનની ઉપમા અપાય છે. શ્વાન, જેમ કૂતરી પાછળ ભમે છે, તેમ વિષયાધીન આત્માઓ, સ્વપરના વિવેક વિના સ્ત્રીની પાછળ બેભાન હાલતમાં ભટક્યા કરે છે. લાલચુ અને સ્વાર્થીજનોનો સ્વભાવ પણ કૂતરા જેવો કહેવાય છે કારણ કે જેમ કૂતરા ઉપર, દંડા પડે તોયે “તૂ તૂ' કરે કે તરત જ પૂંછડી હલાવતાં આવે છે : એવી જ દશા સ્વાર્થીઓની હોય છે. આથી, જેટલી ઉપમાઓ અને દૃષ્ટાંતો દેવામાં આવે તે બધાને માટે છે કે અમુકને માટે છે એમ નથી પણ તે તે દોષો જેનામાં હોય તેને માટે છે : એ કારણે તે તે દોષના ઉપાસકોએ, તે તે દોષોને દર્શાવતી ઉપમાઓથી ગુસ્સે નહિ થતાં તે તે દોષોને દૂર કરી જાતને સુધારવાની પ્રવૃત્તિ કરવી એ જ શ્રેયસ્કર છે. સારી ઉપમા છે, પણ યોગ્યતા જોઈએ : મનુષ્યને કમળની ઉપમા પણ આપી શકાય છે, કમળ, જેમાંથી ઉત્પન્ન થાય અને જેનાથી વધે તે બેયને છોડીને નોખું રહે છે : તેમ જે મનુષ્ય, કર્મરૂપી કર્દમમાં ઉત્પન્ન થઈ અને ભોગરૂપ જળથી વૃદ્ધિ પામી એ બેયને મૂકીને સ્વસ્વરૂપની પ્રાપ્તિમાં સજ્જ થાય તે કમળની ઉપમાને પામે : આથી સ્પષ્ટ છે કે સારી પણ ઉપમા છે પણ યોગ્યતા જોઈએ. જેઓ, કમળ જેવા બનવા માગતા હોય : Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004831
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 07
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherSanmarg Prakashan
Publication Year2001
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy