SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૪ આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૭ વિઘ્ન કરે તો ? આજે તો ધર્મ રુચ્યાની વાત બાળક કરે તો એવાં પણ માબાપ છે, જે મારવા ઊઠે, ઓરડીમાં પૂરે અને મારપીટ પણ કરે. આ સ્થિતિમાં રજા માગવાની કોની પાસે ? સિંહના મોંમાં હાથ ઘાલીને જાચવું એમ ? માબાપ જો માબાપ બને તો રજા વિના કોઈ સંયમ ન લે. માબાપને જાણ કેમ નથી કરતા ? આજે તો માબાપોએ એવો ભય પેદા કર્યો છે કે વૈરાગ્ય થવાની વાત માબાપને કાને ન જાય એની બાળકે કાળજી રાખવી પડે. એ બાળક અમને પણ કહે કે મારાં માબાપ જાણશે તો મને પૂજા પણ નહિ કરવા દે, ને ઉ૫૨થી મારશે, પીટશે. વિરોધી વલણ ધરાવતાં માબાપે દીક્ષાના ઉમેદવાર બાળકનો પગ ભાંગી નાંખ્યાના દાખલા છે અને બિચારો જિંદગી સુધી રિબાઈ રિબાઈને મર્યો. સ્થિતિ એવી છે કે સંયમના અર્થીએ ઇરાદાપૂર્વક માબાપથી છૂપું રાખવું પડે. દુનિયાના વાલીપણાનું જ્યાં ઠેકાણું નથી ત્યાં શાસ્ત્રદૃષ્ટિના વાલીપણાની વાત શી કરવી ? નહિ તો સંયમ લેનાર માબાપની ૨જા કેમ ન લે ? અરે, હું તો કહું છું કે માબાપને સાથે લઈને જ સંયમ લે. માબાપમાં એ કૌવત ન હોય તો માબાપ બાળકને મૂકવા આવે. પણ આ તો કહે છે કે ‘જઈએ નહિ ને જવા દઈએ પણ નહિ, તેમ છતાં જાય તો જોવા જેવું કરીએ.' આથી સંયમના અર્થી પણ માબાપને જાણ કર્યા વિના જ પોતાનું કામ કાઢી લે છે. દુનિયામાં પણ શેઠ જો નોકરને નિયમસર રજા ન આપે તો નોકર ઉઘરાણીએ જાય ને પોતાનું કામ કરતો આવે. આવીને કહી દે કે અહીં ગયો હતો ને તહીં ગયો હતો. માબાપે તો બાળકને કહેવું જોઈએ કે વૈરાગ્ય થાય તો વાંધો નહિ. અમે તને ક્યાંય નડીશું નહિ પણ મદદ કરીશું. માબાપ જો સંસ્કાર નાંખશે તો બાળક શાસનદીપક થશે, છેવટ કુળદીપક થશે પણ સંસ્કાર નહિ નાખે તો ઘરદીપક પણ નહિ થાય, ઊલટા કદાચ અંગારા પાકશે ને સામા થઈને ઊભા રહેશે. શાસ્ત્રકાર આ વિષયમાં વિશેષ શું કહે છે તે હવે પછી - Jain Education International 1871 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004831
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 07
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherSanmarg Prakashan
Publication Year2001
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy