SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧ : અમારી લડત શા માટે અને કોની સામે ? 127| J-124 વિ.સં. ૧૯૮૬ માગસર સુદ-૫ શુક્રવાર તા. ૭-૧૨-૧૯૨૯ • અજ્ઞાન જગતની માન્યતા સામે જ્ઞાનીનો હમલો :૦ પુરુષવિશ્વાસે વચનવિશ્વાસ : • સ્વાતંત્ર્ય શબ્દ ફક્ત બોલવા માટે છે : • સાંભળે અરધું અને ડહોળે બમણું : • અમારી લડત જ્ઞાનીઓના મત માટે છે : ૯ નિયમ જુઠું ન બોલવાનો હોય : « જ્ઞાનીઓને ઇતિહાસના અંગારા કહે છે : • સાચું પણ હિતકર જ બોલાય : ૦ જમાનાવાદીઓના વિરોધનો મુદ્દો : ૦ મુનિ અને જંગલનો ભીલ : • જ્ઞાનીઓનો હેત તમારા ભલા માટેનો છેઃ ૦ શાસન રક્ષા માટે થશે તેટલું કરશું : ૦ ઇચ્છા તો તમારી અમારી એક જ છે : • શ્રાવકકુળનો પ્રભાવ : ૦ દીક્ષા એ જેલ નથી : ૯ • શાસનની પેઢી તો દુનિયાનો આધાર છે : • ઇચ્છાઓ આકાશ જેટલી છે : ૦ દીક્ષામાં બળાત્કાર ન હોય : • વિષયોમાં ન ફસાયા તે અનુભવી : • સમ્યક્તનો મહિમા અપૂર્વ છે : વિષય જ્ઞાનીઓનો વિરોધ જગતની મિથ્યા માન્યતા સામે છે. કારણ કે, એ મિથ્યા માન્યતા જગતના જીવને દુઃખી બનાવે છે. વહુલુલ્લાહુ ગત્તવો અને સત્તા મે માવા જેવાં સૂત્રોના આધારે ફરી ફરીને જ્ઞાની ભગવંતો જગતના જીવોની દારુણ દુઃખાવસ્થા વર્ણવે છે. એની પાછળનું કારણ એક જ છે અને તે એ કે – એ જીવો એ સંસારથી વૈરાગ્ય પામે, દિક્ષાને અનુસરે ને શાશ્વત સુખાત્મક મોક્ષ પામે. પણ સંસારના અર્થ-કામમાં જ મિથ્યાત્વના યોગે સુખની કલ્પના કરી બેઠેલા મોહાધીન જીવોને એ ચીજ સમજાતી નથી અને તેથી એ પરમસુખનો માર્ગ બતાવનાર પરમતારક દેવ-ગુરુઓની સામે હુમલો લઈ આવે છે. મુગ્ધ લોકોને અવળા માર્ગે ચડાવે છે અને બને તેટલું ડહોળાણ પેદા કરી આત્મહિતનો પંથ શોધવાનો પ્રયત્ન કરે છે. એ દરેક પરિસ્થિતિનું ખૂબ જ રોમાંચક વ્યાન આ પ્રવચનમાં કરાયું છે. • કામાધીન આત્માઓને દુઃખ પણ એક પ્રકારના સુખરૂપ ભાસે છે. • પોતાના શરીર, ઈન્દ્રિયો અને વિચારો પર નો કાબૂ નથી અને સ્વતંત્ર કહે કોણ ? • “મને તો અમુક ચીજ વગર ચાલે જ નહિ' એવું ધર્મીને ન હોય. • પંચમકાળના જીવોને હિત પણ અહિત માટે થાય છે. • જીભ મળી છે માટે બોલવું જ એમ નહિ. • જે સાચું હિતકર હોય એ તો અવશ્ય બોલાય પણ જેમાં હિત ન હોય તે સાચું છતાં ન બોલાય. • સારી ચીજ સમજીને લે તોય ફળે અને અણસમજે શ્રદ્ધાથી લે તોય ફળે. • શ્રાવક કુળ એ પણ સમ્પત્વનું કારણ છે. • શાસનની પેઢી તો આખી દુનિયાનો આધાર છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004831
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 07
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherSanmarg Prakashan
Publication Year2001
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy