SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૨ આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો સોળ વર્ષની મર્યાદા શા માટે ? શ્રી જિનેશ્વરદેવની આજ્ઞાથી વિરુદ્ધ જતી માબાપની આજ્ઞા માનવામાં પાપ અને ભાંગવામાં પુણ્ય છે એમ જૈનશાસન કહે છે. સભા : પણ માબાપ કાઢી મૂકે તો ? તો માને કે ‘ભલું થયું ભાંગી જંજાળ.' છૂટવું હતું તે છૂટવાની તક મળી. લલિતાંગકુમારને બાપે દેશવટો દીધો ત્યારે એ ખુશ થયો હતો. સભા : સોળ વર્ષની ઉંમર પછી આ કાયદો ને ? 1870 સોળ વર્ષ સુધી ગમે તેવું શિક્ષણ આપવાનો તમને હક છે, એમ ? ઝેર પણ પાવાનો હક ? જો પાડોશી સરકારને એ જાતની અરજી કરે તો હાથકડી પહેરાવીને લઈ જાય. સોળ વર્ષ સુધી સમજની પરિપક્વતા આવતી નથી માટે હિતાહિતની ચિંતા અર્થે માબાપના વાલીપણાનો કાયદો સરકારે કર્યો પણ માબાપ જ એને મા૨વાની પેરવી કરે છે એવી અરજી કરવામાં આવે તો સરકાર પણ વાલીપણું ખૂંચવી લે. ચોરી કરનારને ટેકો આપનાર શાહુકાર નથી : જૈનશાસનમાં માબાપનું વાલીપણું ક્યાં સુધી ટકે ? બાળકને સન્માર્ગે જતાં રોકે નહિ ત્યાં સુધી. માબાપ તો બાળકને સન્માર્ગે જવામાં પ્રેરણા કરે. વ્યવહારકુશળ બનાવવા માટે બાળકને પાંચ-છ વર્ષની ઉંમરે તેની અનિચ્છા છતાં નિશાળે બેસાડાય છે, ન જાય તો લાલચ આપીને પણ મોકલાય છે, એથી પણ ન માને તો તમાચો મારીને, હાથપગ બાંધી ટીંગાટોળી કરીને પણ મોકલવામાં આવે છે. એ જ રીતે નાની વયમાંથી સન્માર્ગે ચડાવવાની પ્રેરણા હોય તો સોળ વર્ષની વયની અંદરનામાં બુદ્ધિ નથી એવું નથી. બાળકને ધર્મના કે દીક્ષાના ભાવ થાય ત્યારે માબાપ એને કહે કે ‘ભાઈ ! તારાથી એ નહિ બને,’ એ સમજાવવાની દૃષ્ટિએ કહે પણ પાડવાની દૃષ્ટિએ નહિ. અરે ! એ સંસારમાં રહી જાય તો ઠીક, એમ મોહના જોરથી થાય પણ જો એ મક્કમ દેખાય તો પછી માબાપ એની આડે ન આવે. સભા : આડે આવનારને પુષ્ટિ આપે એ જૈન કહેવાય ? - ચોરી કરનારને ટેકો આપે એ શાહુકાર કહેવાય ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004831
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 07
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherSanmarg Prakashan
Publication Year2001
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy