SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ 1869 ૧૦ સંસાર દુ:ખમય લાગે તો બચાય ઃ – ૧૨૫ - સરકારનો વાલીપણાનો કાયદો : બાળક હિતાહિત ન સમજી શકે અને માતાપિતા બાળકનું હિતાહિત સમજી શકે માટે બાળકે માબાપની આજ્ઞામાં રહેવાનું છે. સરકાર પણ વાલી નીમે છે, પણ વાલી નીમ્યા બાદ કોઈ અરજી કરે કે એ વાલી તો બાળકનું અનિષ્ટ કરે તેવો છે તો સરકાર પણ એનું વાલીપણું ખૂંચવી લે છે. સરકારનો આ કાયદો છે, તેમ જૈનશાસનમાં પણ એ જ કાયદો છે. સભા : સરકારનો કાયદો માનવો પડે પણ આ ન માને. આ કાયદા મનાવવા આપણે પ્રયત્ન નથી કર્યો. હવે એ પ્રયત્ન કરો. દીક્ષા ‘હાઉ’ મનાય છે એ ‘હાઉ’ કાઢી નાખો. દીક્ષા કોઈને ફસાવવાની જાળ નથી. દીક્ષા તો બહુ ઉમદા ચીજ છે. દીક્ષામાં કોઈનું અહિત થાય એવું શું છે, એ તો બતાવો ? અરે દીક્ષાનું સાચું સ્વરૂપ સમજાવાય તો દીક્ષા તો કાયદામાં રૂઢ થઈ જાય. માબાપ ચોરી કરવાનું કહે કે કાંઈ અયોગ્ય કરવાનું કહે તો તે ન મનાય. દીક્ષામાં તો હિંસા નહિ કરવાની, જુઠ્ઠું નહીં બોલવાનું, ચોરી નહીં કરવાની, અબ્રહ્મ નહીં સેવવાનું અને પરિગ્રહ તથા મૂર્છા નહીં રાખવાની, આ નિયમો છે. આ નિયમો જાણ્યા પછી કઈ સરકાર દીક્ષાની ના પાડશે ? એ તો સમજશે કે આવી દીક્ષા તો સારી કે જેથી ગુના ઓછા થાય, પોલીસ ઓછી રાખવી પડે. જૈનદર્શનના સિદ્ધાંત જો બધા માને તો પંદર આની ગુના ઘટી જાય, પણ નથી માનતા માટે એ મનાવવાનો આ પ્રયત્ન છે. જૈનદર્શનનો નાનામાં નાનો સાધુ, જેને કાંઈ ન આવડતું હોય પણ માત્ર નવકાર ગણી જાણતો હોય, તે પણ સામાને પૂજા, સામાયિક, પડિક્કમણું કરવાનું કહે, કંદમૂળ ન ખાવાનું કહે પણ ચોરી કરવાનું કે કોઈના ઘર ફાડવાનું તો ન કહે ને ? દુનિયાના વાલીપણા માટે સ૨કારે આવો કાયદો રાખ્યો છે, તો જૈનશાસનમાં વાલીપણા માટે શો કાયદો ? જૈનશાસનનાં માબાપ સાચાં વાલી ક્યારે ? ત્યારે જ કે જે જન્મતાં જ એવા સંસ્કાર નાખે કે જેથી યોગ્ય વયે આવતાં જ બાળક મહાવ્રતધારી થાય, એ ન બને તો વ્રતધારી શ્રાવક થાય, એ પણ ન બને તો છેવટ સમ્યગ્દષ્ટિ બને પણ પાપમાં કે કોઈના અહિતમાં તો ન જ ઊભો રહે. આ જાતનું વાલીપણું ન સ્વીકારે તે જૈનશાસનનાં માબાપ ન બની શકે. Jain Education International - For Private & Personal Use Only ૧૭૧ www.jainelibrary.org
SR No.004831
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 07
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherSanmarg Prakashan
Publication Year2001
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy