SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ 15 – ૧૦ – સસાર દુઃખમય લાગે તો બચાય ? – ૧૨૫ - ૧૫૭ પણ જુઠું બોલે છે એમ કોઈ કહે તો એ વાત ખરી, પણ જુઠું બોલવાનું શાસ્ત્ર કહ્યું છે ? જે જમાનામાં જુઠું બોલ્યા વિના ન ચાલે તે જમાનામાં જુદું પણ બોલાય, એવી શાસ્ત્ર છૂટ આપી હોત તો શાસ્ત્રને નીચું જોવું પડત. અમે સાધુ પણ શિથિલ હોઈએ તો કહીએ કે પાપી છીએ, પણ શાસ્ત્રના નામે ખોટો બચાવ તો ન જ થાય. આપણા બચાવ માટે સિદ્ધાંતમાં બાંધછોડ ન કરાય. આપણે જેવા નબળા તેવા સિદ્ધાંત ઢીલા ન બનાવાય. સિદ્ધાંતની રચના તો નબળાને સબળા બનાવવા, પાપીને પુણ્યવાન બનાવવા, અધર્મીને ધર્મ બનાવવા માટે છે. લોકો કેવા છે? દેશ, સમય કેવો છે ?' વગેરે શાસ્ત્રકાર ન જુએ. આ અવસર્પિણી કાળ તો પડતો કાળ છે જ, પતનદશાનો એનો ગુણ છે જ. એ પતનદશા જોઈને, એને આંખ સામે રાખીને શાસ્ત્રો લખાય ? નહિ જ. સાધુપદ એ સુરક્ષિત સ્થાન છે : આ શાસ્ત્રો તો કહે છે કે “અહિંસા પરમો ધર્મઃ' હિંસા ન કરવી, જૂઠું ન બોલવું, ખાવા ન મળે તો પણ ચોરી ન કરવી, અનાચાર ન સેવવા, પરિગ્રહની મૂર્છા ન રાખવી. શાસ્ત્રો એ જ કહે. અયોગ્ય માર્ગે ચાલનારાના ઉદ્ધાર માટે યોગ્યથી અયોગ્ય બનાય ? શાસ્ત્રોમાં પરિવર્તન થાય ? વિષયાધીનો જેને દુઃશક્ય માને છે તેને શક્ય મનાવવા માટે સિદ્ધાંત છે. સમજાવાય કે આ વસ્તુ આ રીતે શક્ય બને. એવાને સમજાવીને ખેંચી લાવવા માટે સિદ્ધાંત છે પણ જમાનાવાદીઓની પાછળ ઘસડાવા માટે સિદ્ધાંત નથી. તારે તે કે જે તરવાના માર્ગમાં સ્થિર રહે, ત્યાંથી જરા પણ ખસે નહિ. પોતે બચેલો રહે એ બીજાને બચાવી શકે. સાધુપદ એ સુરક્ષિત સ્થાન છે. સાધુ એ સ્થાન પર એવા સ્થિત હોય કે હજારોને ખેંચીને ત્યાં લાવે પણ પોતે એ હજાર પાછળ ન ખેંચાય. પેલા હજારમાં એ ભળી જાય તો શું થાય ? હજાર ખાડામાં પડ્યા હોય, એક બહાર કિનારે ઊભો હોય, તો કિનારે ઊભેલો બીજાઓને મદદ બોલાવીને હજારને બહાર કાઢવાનો પ્રયત્ન કરે, પણ એ પણ હજાર ભેગો ખાડામાં પડે તો ખાડામાં એક હજાર ને એક થયા અને બહાર બીજાને ખબર આપનાર કોઈ રહ્યો નહિ પછી એ બધા નીકળે ક્યારે ? શ્રેણિક મહારાજાની અરિહંત પદની આરાધના : અયોગ્યના ઉદ્ધાર માટે યોગ્યે અયોગ્ય કાર્યવાહીમાં ભળવું એવું ન કહેતા. કોઈ અધર્મ કરે, પાપોદયે ધર્મી પણ અધર્મ કરે તો ડાહ્યો માણસ તેથી સિદ્ધાંત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004831
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 07
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherSanmarg Prakashan
Publication Year2001
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy