SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ 1825 –– ૭ : પાપને પાપ માને તે જ જૈનશાસનમાં - ૧૨૩ - ૧૧૭ કે પૌષધશાળા ન વધે. પાંચ સાધર્મિકની ભક્તિ ન વધે. આ તો એવા વિરાગી કે કહે કે, “પુણ્યયોગે મળ્યું છે તો ભોગવું છું, બાકી મને કાંઈ રાગ નથી.” કષાય ત્યાગી એવા કે કોઈ પૂછે કે “મીયાં ઠંડા કેમ ?” તો ઘરમાં હાંલ્લા કુસ્તી કરતા હોય ત્યાં ગરમી કાઢે ક્યાં? રોટલાની ચિંતામાંથી પરવારે ત્યારે ને ? આવા નમાલા શાંતિદારોની અહીં કિંમત નથી. સાધુ એ ત્યાગનો આદર્શ છે : શાસ્ત્ર કહે છે કે, ધર્મી લક્ષ્મીને ઇચ્છે જ નહિ, એ ઇચ્છે તો મુક્તિને જ. છતાં લક્ષ્મી મળી જાય તો શાસન પ્રભાવનામાં એ કમીના ન રાખે. જૈન શાસનનો ગૃહસ્થ તે કે જે પાંચ પચીસ સાધર્મિકને જમાડ્યા વિના ન જમે. એની ત્રિકાળ પૂજામાં કે ઉભયટંક આવશ્યકમાં ખાડો ન પડે. એ વ્યાખ્યાન કદી ન ચૂકે. જૈન શાસનના દરિદ્રી અને શ્રીમંત બેયની રીતભાત અને ભાવના સરખી. દરિદ્રી કહે કે, “મારે નાનું શું ઘર, ચાર-આઠ રોટલી ખાવા જોઈએ, એ મળી જાય એટલે બાકીનો ટાઈમ ધર્મ સાધન.' શ્રીમંત કહે કે, “મારે કાંઈ ખોટ નથી તો જેટલો બને તેટલો ધર્મ કેમ ન કરી લઉં ?” આજે તો દરિદ્રી કહે છે કે, “પેટમાં નાંખવાના ઠેકાણા નથી ત્યાં ધર્મની વાત શી ?' શ્રીમંત કહે છે કે, “તિજોરીના નાણાં ગણવામાંથી ઊંચો આવું ત્યારે ધર્મ કરું ને ?' આ બેયની ભાંજગડમાં આજના લોકો અમને વચ્ચે પડવાનું કહે છે અને આનું આના ઘરમાં અને આનું આના ઘરમાં અમારી પાસે કરાવવા માગે છે, તો અમે આવા કામ કરનારા દાડીયા કે મજૂર છીએ ? - સાધુ એ તો ત્યાગનો આદર્શ. શ્રીમંત અને દરિદ્રી એ બેય એના પગમાં ઝૂકે. એ બેયમાં ત્યાગના મનોરથની ભાવના સાધુ જાગૃત કરે. શ્રાવક-શ્રાવિકાને ત્યાગમાર્ગે લઈ જવા સાધુ પુલનું કામ કરે. એ એમાં આડી દિવાલરૂપ ન બને. સાધુ એમ ન કહે કે, “ત્યાગ તો અમારા માટે, તમે તો ગૃહસ્થ. તમે તો તેલ જુઓ, તેલની ધાર જુઓ અને તમારા સંયોગો જોઈ વિચારી બધું કરો.” પણ એમ તેલ ને તેલની ધાર જોતાં “ૐ ફુટુ ફુટુ સ્વાહા' થઈ ગયા તો શું થાય ? પાછા હતા એવાને એવા ઠંઠણપાળ થઈ જાય ને ? પ્રભુના માર્ગમાં અધિક ને અધિક આત્માઓને ખેંચી લાવવા સાધુ પુલનું કામ કરે. પરંતુ શ્રાવક એવા બળીયા છે કે એ પુલને ઊંચો કરી એની દિવાલ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004831
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 07
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherSanmarg Prakashan
Publication Year2001
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy