SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૭ – – આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૭ - 18 કયો ધર્મ મોક્ષનો ઉપાય ? જેનાથી વિષયનો વિરાગ, કષાયનો ત્યાગ, ગુણનો અનુરાગ તથા એ ત્રણેની ક્રિયામાં અપ્રમાદ થાય છે. પહેલી ત્રણ વાત કહીને જ્ઞાની અટક્યા નહિ. કેમકે, બધા વિષય સેવતાં છતાં મોટું બગાડી વિરાગ બતાવત, કષાય કરવા છતાં હૈયામાં કાંઈ નથી એમ કહેત, મારા રોમરોમમાં ગુણાનુરાગ છે એમ પણ દેખાવ કરત. પણ જ્ઞાની કહે કે, “એમ અમે ન માનીએ. એ ત્રણેની ક્રિયામાં જાગૃતિ દેખાય તો માનીએ.' શ્રેણિક મહારાજા ભગવાન મહાવીરદેવને વંદન કરવા જતાં વચ્ચે માર્ગની એક તરફ પ્રસન્નચંદ્ર રાજર્ષિને જોઈ તરત હાથી પરથી હેઠે ઊતર્યા અને વંદન કર્યું. આનું નામ ગુણાનુરાગ. ગુણાનુરાગ છે એમ કહે અને ગુણવાન સામે આવે છતાં માથું ન નમે તો એને ગુણાનુરાગ કોણ કહે ? વિષયનો વિરાગી મનગમતી વસ્તુ મળે કે રાહ જોવા પણ ઊભો ન રહે એવો હોય? કષાયત્યાગી ખરો, પણ ક્યાં ? દેવ, ગુરુ, ધર્મ અને ધર્મશાસનનું અપમાન થાય ત્યાં, જાતનું અપમાન થાય ત્યાં નહિ. પારકું લાગે ત્યાં તો સૌ ક્ષમાશીલ રહે પણ પોતાનું લાગે ત્યાં કષાયનો અભાવ જોઈએ. “ફલાણો ભગવાન માટે જેમતેમ બોલ્યો, ગુરુને ગાળ દીધી, શાસનનું અપમાન કર્યું. એમ કોઈ કહે ત્યારે એને કહે કે, હશે ! કરશે તે ભરશે. આપણે કષાય કરી નરકના ખાતાં ક્યાં ખોલવા ?' પણ પોતાની જાતને કોઈ કહે કે તરત મોંનો રંગ બદલાય. ચાર સંભળાવે ત્યારે જ જંપે. દુનિયાની મામૂલી ચીજ જાય ત્યાં સમતા ન રહે અને દેવ, ગુરુ, ધર્મની બાબતમાં સમતાના સાગર ! આ કેવી સમતા ? વિરાગ તો ત્યારે કહેવાય કે લાખો જાય તોય કાંઈ ન થાય અને લાખો આવે તોય કાંઈ ન થાય. જાય ત્યારે કહે કે, “સાચવવા મટ્યા અને આવે ત્યારે કહે કે પુણ્યોદયે આવ્યા છે તો સવ્યય થશે, પ્રભુ શાસનની પ્રભાવનામાં કામ આવશે.” આ ભાવના લાવવા માટે જ જ્ઞાનીએ બાહ્ય ત્યાગને પ્રાધાન્ય આપ્યું છે. આજે તો લાખ આવે એટલે છાતી ઊંચી થાય, ચહેરો બદલાઈ જાય. પછી રહેવા બંગલો જોઈએ, પગે ન ચલાય માટે મોટર જોઈએ, હવા ખાવા વીજળીના પંખા જોઈએ. બટન દબાવતાં બત્તી થાય એવું જોઈએ, ગામમાં ઘર હોય છતાં બહાર બીજો બંગલો જોઈએ. શ્રીમંતાઈ આવે એટલે પોઝીશન વધી જાય. પેઢી, મોટર, નોકર, ચાકર બધું વધે પણ ઘરમાં જિનમંદિર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004831
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 07
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherSanmarg Prakashan
Publication Year2001
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy