SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ 1905 – – ૬ દગંતના દુરુપયોગથી બચો! - ૧૨૨ - ૯૭ એ પણ કેવળજ્ઞાન પામ્યો, તો અમારાથી કોઈ બે પાંચ નાના જીવની હત્યા થાય એમાં કયું મોટું પાપ થઈ ગયું ?... રોહિણીયા જેવો ભયંકર ચોર, મંત્રીશ્વર અભયકુમારને પણ હંફાવે એવો, એ પણ મુક્તિએ ગયો, તો અમે ક્યારેક કરચોરી કે દાણચોરી જેવી મામુલી ચોરી કરીએ એમાં પાપ, પાપ શાનું કરો છો ?.... બાર બાર વર્ષ વેશ્યાને ત્યાં રહેનાર સ્થલિભદ્ર પણ ચૌદ પૂર્વને ધરનારા થયા ને ? તો વેશ્યાગમનમાં પાપ લાવ્યા ક્યાંથી ?.. આજના લોકો આવા આવા દાખલા આપીને શાસ્ત્રના નામે જગતને ઉન્માર્ગે દોરે છે. એ બધા દાખલાનું વિવરણ એક પછી એક પ્રસંગે કરીશું. શાસ્ત્રના નામે આવા દાખલા આપી આ રીતે જગતને ઉન્માર્ગે લઈ જનારા શ્રી જિનેશ્વરદેવનું શાસન પામ્યાનો દાવો કરી અનેક આત્માઓના ભાવપ્રાણોને હણવાનો ધંધો કરનારા છે. વિશ્વાસુની ભયંકર કતલ : સભા: જૈનશાસનને આ રીતે તેઓ કાળું કરે છે. જૈનશાસન તો કાળું થતું જ નથી. આ શાસનનો પ્રભાવ એવો છે કે એની જ્યોતિને ઝળહળતી રાખનારા જીવતા છે. શાસન તો કાળું ન થાય પણ શાસનને કાળું કરવાનો પ્રયત્ન કરનારા તો કાળા બની ચૂકે છે. શાસ્ત્રના દષ્ટાંતોનો આ રીતે દુરુપયોગ કરનારા દુનિયાના ખૂની કરતાં પણ ભયંકર છે. કસાઈ તો બે પાંચ દશને મારે, મારવા લઈ આવેલાને મારે, ખુલ્લા હથિયારે મારે જ્યારે આ તો બચાવનાર છે એમ સમજીને આવેલા, તારનાર છે એવા વિશ્વાસથી આવેલા અને શિર નમાવીને ઊભેલા સંખ્યાબંધ વિશ્વાસુ આત્માઓની કતલ કરનારા કસાઈ કરતા પણ વધી જાય એવા મહાભયંકર ખૂની છે. ઘરના અને પેઢીના કામકાજ મૂકીને બાઈઓ અને ભાઈઓ આવે છે, તે તારક માનીને આવે છે. એમને આ રીતે ઉન્માર્ગે દોરનારાને કસાઈની ઉપમા પણ ઓછી છે. જે પગ પૂજે એના આત્માની જ કતલ ? કસાઈ તો એક જ દેહની કતલ કરે, આ તો અનંતા ભવોની કતલ કરે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004831
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 07
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherSanmarg Prakashan
Publication Year2001
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy