SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૭ – – આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો – ૭ – – 17% પ્રકાશના અભાવના અંધકાર કરતાં ધોળે દિવસે ગાઢ બની રહેલો મિથ્યાત્વાદિનો અંધકાર ઘણો ભયંકર છે. એ અંધકારને ટાળવા માટે જ શ્રી જિનેશ્વરદેવના શાસનની સ્થાપના છે. એ ભાવઅંધકારમાં પડેલા આત્માને વિવેકચક્ષુ આપી, તેનો એ અંધકાર દૂર કરી સન્માર્ગે વળાય તો જ સાચી શાસનસેવા થાય. એવી સેવા એ જ શાસનસેવા નહિ તો સેવાને નામે નાશની ક્રિયા પણ થઈ જાય. જે શાસનના યોગે વિવેક પામી મિથ્યાત્વ, અવિરતિ, કષાય, પ્રમાદ અને અશુભ યોગોથી બચ્યા એ જ શાસનનો ઉપયોગ મિથ્યાત્વને વધારી વિવેકનો ધ્વંસ કરવામાં થાય તો એ શાસનની આરાધના છે કે શાસનના નાશનો પ્રયત્ન છે ? મિથ્યાત્વની વ્યાખ્યા : મિથ્યાત્વ એટલે શ્રી જિનેશ્વરદેવે કહેલા એક પણ વચનને ખોટું માનવું તે. આખી દ્વાદશાંગી માને પણ તેમાંના એક વચનને ખોટું માને તે મિથ્યાત્વ, અથવા તત્ત્વને અતત્ત્વ અને અતત્ત્વને તત્ત્વ માનવું તે મિથ્યાત્વ, અથવા વીતરાગને કુદેવ અને રાગીને સુદેવ માનવા, સુગુરુને કુગુરુ અને કુગુરુને સુગુરુ માનવા, સુધર્મને કુધર્મ અને કુધર્મને સુધર્મ માનવો એ બધું મિથ્યાત્વ છે. સભા બધું જ માને પણ ફક્ત એક વચન જ ન માને તો મિથ્યાત્વ? હા, એ તો દૂધના કુંડામાં વિષનો કણિયો પડ્યો. પછી તેમાંથી થોડું પણ દૂધ પીવા યોગ્ય રહેતું નથી. અમુક અંશે છોડવાનું અને અમુક અંશે પકડવાનું, એવું જૈનશાસનમાં નથી. જ્ઞાન-ક્રિયા બેય મુક્તિનાં સાધન છે. જે શાનમાં ક્રિયાની અરુચિ તે અજ્ઞાન છે અને એકલી ક્રિયા કે જેમાં જ્ઞાન પ્રત્યે બહુમાન નથી તે પણ નકામી છે. ક્રિયાની અરુચિવાળો જ્ઞાની મુક્તિ ન પામે તેમ જ જ્ઞાન પ્રત્યે બેદરકાર બનેલો ગમે તેવી ક્રિયા કરે અને સાથે જ્ઞાનની ઠેકડી ઉડાડે તો તેની ગમે તેવી ઉત્કટ ક્રિયા પણ તેને મુક્તિ ન પમાડે. સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્ર એ ત્રણે ભેગા થાય તો મુક્તિ મળે. એકલું જ્ઞાન, એકલું દર્શન કે એકલું ચારિત્ર એ મુક્તિનું સાધન નથી. સમ્યગ્દર્શન વિનાનું ચારિત્ર એ કુચારિત્ર છે. ભલે જ્ઞાન ન હોય પણ જ્ઞાનીની નિશ્રા હોય તો ચાલે. જેમ દેખતા પાછલ ચાલનારા આંધળા પણ દેખતા જ છે; તેમ જ્ઞાનીની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004831
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 07
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherSanmarg Prakashan
Publication Year2001
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy