SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ ૬: દષ્ટાંતના દુરુપયોગથી ગયો ! 122 J-19 વિ.સં. ૧૯૮૭ કાર્તિક વદ૧૪, શનિવાર તા. ૩૦-૧૧-૧૯૨૯ ૦ મિથ્યાત્વની વ્યાખ્યા : • શાસ્ત્રનાં ગંભીર રહસ્યો સમજો ! • સમજવા માટે પ્રશ્ન થાય એ શંકા નથી : • આજના સુધારકોના કુતર્ક : • શાસનને સુધારવાની કાંઈ જરૂર નથી : • શાસ્ત્રના નામે લોકોને ઉન્માર્ગે દોરનારા : અહીં સંખ્યાનું મહત્ત્વ નથી : • વિશ્વાસુની ભયંકર કતલ : • જૈન થવાનો અધિકાર કોને ? ૦ આપત્તિમાં ટકે તે ધર અને ખસે તે કાયર : • “શાસન' એ જ આપણો શબ્દ : • કથામાંથી ઊંધું પકડનારા : • શાસન માને એની રક્ષા શાસન કરે : ૯ આણંદ કામદેવના જીવનમાંથી શું લેવાય? ૦ આ શાસન પડેલાને પાટું મારતું નથી : • ધર્મી શ્રાવક-શ્રાવિકા કેવાં હોય ? વિષયઃ શાસ્ત્રોમાં આવતા પ્રસંગોમાંથી ફાવતું પકડી લોકને ઊંધે રસ્તે દોરવા એ મહાપાપ છે. જૈન શાસન એ સમસ્ત લોકને સુધારનારું શાસન છે. એ શાસનને જ સુધારવાની વાત કરનારા પાગલ છે. સુધરવું જાતને પડે પણ શાસનને સુધારવા નીકળાય નહિ. આજે એ ધંધો લઈ બેઠેલા ઘણા છે. તેઓ શાસ્ત્રમાં બતાવેલાં અનેક દૃષ્ટાંતોમાંથી અર્થ-કામ પોષક અંશ જ પકડી મુગ્ધ લોકને ઊંધે રસ્તે દોરતા હોય છે. એમાં વેશધારી સાધુ પણ ભળી જાય તો કેવી પરિસ્થિતિ સર્જાય ? વિશ્વાસે ધર્મ સાંભળવા આવનારની ગર્દન કપાય. શાસનમાં રહેવા ઇચ્છનારે પાપનો પક્ષપાત છોડવો જ રહ્યો. આનંદ કામદેવનાં ગોકુળો-હળો, ચક્રવર્તીઓની સ્ત્રીઓ અને મહાપાપીઓનાં પાપાદિને આગળ કરી પોતાની પાપ કામનાઓ પોષવી અને અન્ય આત્માઓને તેમાં જોડવા એ તો કસાઈ કરતાંય ભૂંડો ધંધો છે, એ આ પ્રવચનનું હાર્દ છે. પૂ.આ. શ્રી હીરસૂરિજી મ. નો તેમજ જિનદાસ શેઠનો દાખલો આપી વસ્તુતત્ત્વ સમજાવેલ છે. મુવાક્યાતૃત • ભાવ અંધકારમાં પડેલા આત્માને વિવેકચક્ષુ આપી, તેનો એ અંધકાર દૂર કરી સન્માર્ગે વળાય તો જ સાચી શાસન સેવા થાય. • જે જ્ઞાનમાં ક્રિયાની અરુચિ તે અજ્ઞાન છે અને એકલી ક્રિયા કે જેમાં જ્ઞાન પ્રત્યે બહુમાન નથી તે પણ નકામી છે. • લોક આવીને શાસનમાં ભલે ભળે પણ શાસન લોકથી નોખું છે અને નોખું રહેવું જોઈએ. પાપને પાપ ન માને એ જૈન નથી. પૃથ્વી આદિ છકાયમાં જીવ ન માને તે જૈન નથી. • જે શાસિત હોય તે જ શાસન કરે, શાસન કરવાની તેનામાં જ લાયકાત. • શાસન એ એને માનનાર માટે જીવાદોરી છે અને એને ભાંગનાર માટે એ મૃત્યુજાળ છે. • લખી રાખો કે અમે તમારા પર જીવતા નથી. અમને આ ઓધા પર વિશ્વાસ છે. ખાતરી છે કે, એના યોગે આપત્તિ નહિ આવે અને આવે તો તે ભલા માટે જ હશે. • “શ્રાવકે હળ ચલાવવા” એમ કહેવું એ પાપોપદેશ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004831
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 07
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherSanmarg Prakashan
Publication Year2001
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy